[૪૯પ] મસ્જિદથી નજીકના ઘરમાં જમાઅત

Chapter : નમાઝ

(Page : 503)

સવાલ :–(૩) એવા ઘરમાં જમાઅત સાથે નમાઝ પઢવી જાઈઝ છે જે મસ્જિદથી થોડાક જ ફાસલા પર આવેલું હોય અને મસ્જિદની અઝાન પણ સંભળાતી હોય ? આવી જમાઅત થતી હોય તો તેને રોકવી વાજિબ છે કે નહિ?

જવાબ :–(૩) કોઈ શરીઅત માન્ય ઉઝર વગર મસ્જિદની જમાઅત છોડીને મસ્જિદથી નજીકના ઘરમાં ફર્ઝ નમાઝની જમાઅત કરવી મકરૂહે તહરીમી અને બિદઅત છે.     (શામી – ૧ / ૩૭૧, બહર – ૧/૩૪૬)

                આવી જમાઅત કરનાર નમાઝીઓને મસ્જિદની જમાઅતની ફઝીલત અને તેને છોડવાની વઈદ બતાવી સમજાવવા જોઈએ.

Log in or Register to save this content for later.