Chapter : નિકાહ
(Page : 330-331)
સવાલઃ– મારે હાલ ત્રણ બાળકો છે, બે બાબા અને એક બેબી, મોટો છોકરો ચાર વર્ષનો અને નાનો છોકરો સવા ત્રણ વર્ષનો અને બેબી બે માસની થઈ છે અને મારી પત્નીને (આદત બદલાય ને) બે માસમાં હૈઝ આવી ગયું છે, હવે ત્રણે બાળકો નાના હોવાથી મારી પત્નીને ત્રણે બાળકોની સંભાળ રાખવામાં ખૂબ જ મુશ્કેલી પેશ આવે છે, તેમાં મારી પત્નીની રાય એવી છે કે બે અથવા ત્રણ વર્ષ માટે વકતી તોર પર રીંગ (કોપર – ટી) મુકાવી દઈએ, જેથી બે બાળકો વચ્ચેનું અંતર વધી જાય અને સાર–સંભાળ રાખવામાં આસાની રહે. (સંપૂર્ણ નસબંધીનો ઈરાદો બિલકુલ નથી અલ્લાહ હિફાજત કરે) તો શું આમ કરવું જાઈઝ છે ખરું ? અને જો ના જાઈઝ હોય તો માનેએ હમલ ગોળીઓ લેવી (વકતી તોર પર) અથવા વકતી તોર પર નિરોધ વાપરવું જાઈઝ છે ?
જવાબ :– પોતાની નાની બેબીને હાની મુકત દૂધ પીવડાવવાના અને તેની સારી સંભાળના હેતુથી બેબી બેવર્ષની થાય ત્યા સુધીમાં એ હંગામી રૂપથી હમલ રોધક ગોળીઓ લેવી જાઈઝ છે. અને એ જ પ્રમાણે પુરુષ માટે નિરોધનો ઉપયોગ કરવો પણ જાઈઝ છે. અને ગોળીઓ કરતાં નિરોધનો ઉપાય હિતાવત ગણાશે, કારણ કે એ એક બાહય ઉપાય છે, જયારે ગોળીઓમાં બીજુ કોઈ નુકસાન થવાનો ભય પણ રહે છે. પૂછેલી સૂરતમાં કોપર ટી (ટાંકણી) મુકાવવી જાઈઝ નથી, કારણ કે શરીઅત માન્ય મજબૂરી સિવાય પોતાના ગુપ્ત ભાગો પોતાના શોહર સિવાય કોઈ બીજા પુરુષ અથવા ઓરત સામે ખોલવા નાજાઈઝ અને હરામ છે. અને બેબી બે વર્ષની થઈ ગયા પછી મજકૂર ગોળી અથવા નિરોધનો ગર્ભરોધક ઉપાય ચાલુ રાખવો પણ ગુનાહ અને કરાહતથી ખાલી નથી. (શામી ભાગઃર/પ)
Log in or Register to save this content for later.