[ર૮૩] ઓરતના શેરોની નફાની માલિક ઓરત છે

Chapter : નિકાહ

(Page : 327-328)

સવાલઃ– એક માણસ પાસે શેર છે, જેની કિંમત રૂા. પ૦૦૦/– છે, દર અસલ શેર શાદી વખતે ઓરતના નામ ઉપર રૂા. ૮૦૦/– ના રાખ્યા હતા અને ત્યાર બાદ શેરોમાં તેજી આવી અને મજકૂર ૮૦૦/–ના શેર પ૦૦૦/–ના થઈ ગયા, આગળના શેર તેજી આવવાથી વેચી નાખ્યા અને તેના બદલાંમાં બીજા શેરો તેજ પૈસાથી રાખી લીધા તો મજકૂર સૂરતમાં રૂા. ૮૦૦/– થી વધુ રકમ શોહર લેવા માંગે છે. તો શું તે લઈ શકે છે કે પછી તે ઉપરની રકમનો હક ઓરતનો રહેશે? રૂપિયા ૮૦૦/– વડે ઓરત શાદી પર જણસ કપડાના બદલે શેર રાખ્યા હતા.

                અને ઉપર લખેલા પ૦૦૦ /– રૂપિયા બાવન તોલા ચાંદીનો નિસાબ થાય કે નહીં ? અને થતો હોય તો ઓરતથી ઝકાત લેવાય કે નહીં કે પછી ઝકાત કાઢવી પડશે અને જો રૂપિયા પ૦૦૦/– ઓરતના ગણાતા હોય તો શોહરથી ઝકાત લેવાય કે નહીં ? શોહર ફકત નોકરી પર જ જીવન ગુઝારે છે, ખેતી કે અન્ય કોઈ બીજી આવક કે માલિકે નિસાબ કંઈ જ નથી. અર્થાત મીયાં,બીવી બન્‍નેવની પૂંજી રૂપિયા પ૦૦૦ / – થી ૬૦૦૦/– જેવી છે.

જવાબઃ– જે શેરો ઓરતની સંમતિથી ઓરતની માલિકી તરીકે ઓરતના નામ ઉપર રાખવામાં આવ્યા હતા તે શેરો ઔરતની માલિકી હોવાથી તેના વેચાણમાં મૂળ કિંમત ઉપર જે નફો મળ્યો છે તે પણ ઓરતનો જ ગણાશે તે વધારાનો નફો શોહર ન લઈ શકે. અને આજકાલ ચાલતા ચાંદીના બજાર ભાવ મુજબ રૂા. પ૦૦૦ની કિંમતના શેરોથી ઓરત સાહિબે નિસાબ બની જાય છે, કારણ કે તે શેરોની મૂડીનો મોટો ભાગ લગભગ વેપારમાં રોકાયેલો રહે છે. એટલે ઓરતે ઝકાત આપવી પડશે. અને શોહર પાસે પોતાના રહેવા – પહેરવા અને ધંધા તથા ખાવાની જરૂરતો ના સામાન ઉપરાંત જો કોઈ એવો વધારાનો સામાન ન હોય કે જેની કિંમત સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર થતી હોય તો તે શરઈ દ્રષ્ટ્રિએ ગરીબ છે. ઝકાત લઈ શકે છે. ચાહે તેની ઓરત શરઈ દ્રષ્ટ્રિએ માલદાર હોય, પરંતુ ઓરત પોતાની ઝકાત પોતાના ગરીબ પતિને ન આપી શકે એ પણ યાદ રાખવું જરૂરી છે.  (શામી. ભા.ર / ૪૭૬, ભા.પ)

Log in or Register to save this content for later.