[ર૮૧] હજથી પહેલા મકકામાં પતિનું અવસાન થાય

Chapter : નિકાહ

(Page : 325-326)

સવાલઃ– એક ઓરત પોતાના શવહર સાથે હજ પઢવા મકકા મુકર્રમહ પહોંચી ગઈ, હવે ત્યાં હજજની અદાયગી પહેલાં શવહરનો ઈન્તિકાલ થઈ ગયો તો તેની ઈદ્દતનો શું હુકમ છે. અને તે આ હાલતમાં હજજ અદા કરી શકે કે નહીં ?

જવાબ :– મજકૂર સૂરતમાં જે મકાન ભાડે રહેવા માટે લીધું હોય તેમાં મવતની ઈદ્દત ચાર મહીના દસ દિવસ ગુજારવી જરૂરી છે અને મોતની ઈદ્દતવાળી ઓરત પોતાની આર્થિક જરૂરત પૂરી કરવા દિવસમાં અને રાતમાં બહાર નીકળી શકે છે, પરંતુ રાતનો વધુ ભાગ ઈદ્દતના મકાનમાં ગુજારવો જરૂરી છે. એટલે અસલી હુકમ તો એ જ છે કે જો હજજના એહરામમાં હોય તો ઉમરહ કરી હલાલ થઈ જાય અને ઈદ્દત પૂરી કરી આવતા વર્ષ સુધી ત્યાં રહી અથવા ઘરે વાપસ આવી આવતા વર્ષે ફરી કોઈ મહરમ સાથે હજ કરે.

                પરંતુ આ સૂરતમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થશે. ત્યાં રહેવામાં પણ અને ફરી હજજ માટે જવામાં પણ, એટલે જો ઈદ્દતની હાલતમાં એહરામ બાકી રાખી હજના ફરઝો અને વાજિબોની અદાયગી સિવાય ઈદ્દતના ઘરમાંથી નીકળવાથી બચવાની પુરેપૂરી કાળજી રાખી હજજ અદા કરવા ચાહે તો મઅઝૂર સમજવાની ગુંજાઈશ છે.

(શામી ૧૪૬/ર૩૩/૬ર૦ ભા. ર)

Log in or Register to save this content for later.