Chapter : નિકાહ
(Page : 322)
સવાલ :–(૩) હું નામે ”ઈસ્માઈલ” મેં મારા છોકરા ”વલી”ની શાદીના પ્રસંગે એની અવરતની મહર પેટે ”સોનાનો દોરો” આપેલો, તે સમયે એની કિંમત રૂા ૭૦૦/– (અંકે રૂપિયા સાતસો) હતી. ત્રણ વર્ષ બાદ મારા છોકરાની અવરતનો ઈન્તેકાલ થઈ ગયો. અવલાદ કોઈ પણ ન હતી. ઈન્તિકાલ પછી દોરો એના મા–બાપને ત્યાં જ હતો અને રહયો. સંજોગાનુસાર મારે જરૂરત પડતાં દોરો ત્યાંથી મંગાવી રૂા ૧૪૦૦/– (અંકે રૂપિયા ચૌદસો)માં વેચી દીધો. એ દરમિયાન મારા છોકરા વલીની બીજી શાદી માટે ત્યાંજ એટલે આગલી અવરતની ”નાની બહેન” સાથે નકકી થઈ. ફરી મારી સવળ થતાં મેં રૂા ર૧૦૦/– (અંકે રૂપિયા એકવીસસો)નો સોનાનો દોરો ખરીદયો અને છોકરાની બીજી શાદી વેળા એની હાલ જે અવરત હયાત છે તેને મહર ”૧ર૭.પ૦– (અંકે રૂપિયા એકસો સત્તાવીસ અને પચાસ પૈસા) રોકડા આપી, રૂા ર૧૦૦/–માં ખરીદેલ દોરો આ અવરતને ફકત પહેરવા પુરતો આપ્યો. હવે આ વહુ અને છોકરો બન્ને જુદા રહેવાના છે અને રહેવા લાગ્યા જ.
રૂા. ર૧૦૦ / –માં ખરીદેલ દોરો હાલ હયાત ઓરતને તો ફકત પહેરવા જ આપેલો, એ દોરામાં હયાત ઓરતનો કંઈ હક ખરો? અને નથી, તો એ કોનો હક કહેવાય? છોકરાનો કે બાપનો?
જવાબ :–(૩) હયાત ઓરત મરનાર ઓરતની નાની બહેન છે. માટે મરનારની મહેર પેટે જે દોરો હતો તેમાં તો હયાત ઓરતનો હક લાગશે, પરંતુ હાલ જે દોરો વાપરવા આપ્યો છે અને શવહરના બાપે આપ્યો છે તેમાં ઓરતનો કોઈ હક નથી, એ દોરો બાપનો કહેવાશે.
Log in or Register to save this content for later.