Chapter : નમાઝ
(Page : 495)
સવાલ :– આંખો બંધ કરી નમાઝ પઢવાથી નમાઝ પઢવાની બહુ મજા આવે છે, તો આંખો બંધ કરવાથી નમાઝમાં કંઈ વાંધો આવશે ખરો ?
જવાબ :– નમાઝમાં આંખો બંધ રાખવી મકરૂહે તનઝીહી છે અને સજદહની જગ્યાએ જોવું સુન્નત છે, પરંતુ જો આંખો ઉઘાડી રાખવાથી, અને જોવાથી દિલ આમ–તેમ કેન્દ્રિત થઈ જતુ હોય અને નમાઝમાં ખુશૂઅ ન રહેતો હોય અને બંધ રાખવાથી નમાઝમાં વધારે દિલ લાગતું હોય તો બંધ રાખવી જાઈઝ છે. (શામી – ૧/૪૩૪, બહર –ર/રપ)
Log in or Register to save this content for later.