[૪૮૩] નમાઝમાં આંખો બંધ રાખવી

Chapter : નમાઝ

(Page : 495)

સવાલ :– આંખો બંધ કરી નમાઝ પઢવાથી નમાઝ પઢવાની બહુ મજા આવે છે, તો આંખો બંધ કરવાથી નમાઝમાં કંઈ વાંધો આવશે ખરો ?

જવાબ :– નમાઝમાં આંખો બંધ રાખવી મકરૂહે તનઝીહી છે અને સજદહની જગ્યાએ જોવું સુન્નત છે, પરંતુ જો આંખો ઉઘાડી રાખવાથી, અને જોવાથી દિલ આમ–તેમ કેન્દ્રિત થઈ જતુ હોય અને નમાઝમાં ખુશૂઅ ન રહેતો હોય અને બંધ રાખવાથી નમાઝમાં વધારે દિલ લાગતું હોય તો બંધ રાખવી જાઈઝ છે.         (શામી – ૧/૪૩૪, બહર –ર/રપ)

Log in or Register to save this content for later.