Chapter : નિકાહ
(Page : 320)
સવાલ :– શું માણસે પોતાની ઓરતને આપેલ જણસ વિગેરેની માલિકી ઓરતની ગણાશે ?
જવાબ :– જે જણસ અને સામાન મહર પેટે આપવામાં આવ્યાં નથી અને આપનાર પુરૂષે તે જણસ અને સામાન ઓરત માટે ભેટ બક્ષિશ આપવાની ચોખવટ કરી નથી તે જણસ અને સામાનનો માલિક સમાજના પ્રચલિત રિવાજ મુજબ પુરૂષ જ ગણાશે, ઓરત તે વસ્તુઓની માલિકીનો દાવો કરશે તો તેણે સાચા ગવાહો રજૂ કરવા પડશે. (શામી :ર/૩૬૩)
Log in or Register to save this content for later.