[૪૮૧] મગરિબની ચોથી રકઅતમાં શામેલ થનાર

Chapter : નમાઝ

(Page : 494)

સવાલ :– અગર ઈમામ સાહેબના કહેવા મુજબ નમાઝ થઈ જાય તો પાછળ જયારે ઈમામ સાહેબ ચોથી રકઅતના કિયામ, રુકૂઅ વિગેરેમાં જે મુકતદી શામેલ થયા અને તેમણે સજદએ સહવ વખત ઈમામ સાથે સલામ પણ નથી ફેરવી તો એમની બે રકઅત અદા કરવાથી મગરિબની નમાઝ અદા થઈ જશે ? જયારે કે ઈમામ સાહેબ ચોથી રકઅત પઢાવી રહયા હતા.

જવાબ :– ચોથી રકઅતમાં શામેલ થનાર નવા નમાઝીઓની ફર્ઝ નમાઝ સહીહ નહિ થાય. ચાહે તેઓ ઈમામ પછી એક બે રકઅત પઢી લે, બલ્કે મગરિબની ફર્ઝ નમાઝ તેમણે ફરી પઢવી પડશે.     (શામી – ૧/પ૦ર)

Log in or Register to save this content for later.