[ર૭ર] નિકાહમાં બહેનને અથવા ભાણીને મોસાળુ દેવું

Chapter : નિકાહ

(Page : 315)

સવાલઃ– શાદીના મોકા ઉપર મામા ભાણેજને મામેરૂ આપે છે, (એટલે પૈસા અથવા કપડાં અથવા કોઈ વસ્તુ કે રકમ) તો આ મામેરૂ આપવું કેવું છે અને બહેન પોતાના ભાઈને આ મામેરાનું વળતર આપે એટલે કોઈ વસ્તુ પરત કરે છે, તો આ રિવાજની કોઈ હકીકત શરીઅતમાં છે, યા ખાલીસ સમાજનો રિવાજ છે?

જવાબઃ– મામેરૂ આપવાનો શરીઅતથી કોઈ સબૂત નથી, એક સામાજિક રિવાજ છે, જેમાં શરઈ દ્રષ્ટિએ ઘણી ખરાબીઓ છે, જેમાંથી મોટી ખરાબી આ છે કે મામેરાના રિવાજના કારણે બહેનો બાપના વારસા, મિલકતમાંથી વારસા હકથી વંચિત રહે છે, જે લાઝિમ અને વાજિબ છે, કુર્આન – હદીસથી બહેન – છોકરીનો વારસાહક સાબિત છે. અને બહેને મોમેરાનું વળતર આપવું એ પણ એક સામાજિક રિવાજ છે, આવા રિવાજોનો ત્યાગ કરી શરીઅતથી જે હકકો એક બીજાના સાબિત હોય તે અદા કરવા જરૂરી છે, તે શરઈ હકકો અદા  ન કરવાથી ગુનાહ લાગુ પડશે અને રિવાજો છોડવાથી કોઈ ગુનાહ લાગુ નહિ પડે, બલ્કે ઘણી ખરાબીઓ અને ગુનાહોથી બચી જશે.

Log in or Register to save this content for later.