Chapter : નમાઝ
(Page : 492-493)
સવાલ :– અસરની ફર્ઝ નમાઝની ચોથી રકઅતમાં ઈમામ ઉભા થઈ ગયા, પાછળથી મુકતદીઓએ અલ્લાહુ અકબર કહી લુકમો આપ્યો છતાં ઈમામ સાહેબે આખરી કઅ્દહ કર્યો નહીં, નમાઝ ચાલુ રાખી, પાંચમી રકઅતમાં પણ કઅ્દહ કર્યો નહીં, છઠઠી રકઅત પઢાવી કઅ્દહ કરી સલામ ફેરવી નમાઝ પૂરી કરી (સજદએ સહવ પણ કર્યો નહીં) તો આ નમાઝ થઈ ગઈ કે દોહરાવવી પડશે.
ઈમામ સાહેબનું કહેવું છે કે ચાર ફર્ઝ વત્તા પાછળની બે રકઅત નમાઝ નફલ તરીકે થઈ ગઈ, એટલે આપણી નમાઝ થઈ ગઈ, આવું કહેવાથી મુકતદીઓ દુઆ બાદ ચાલ્યા ગયા, તો શું નમાઝ થઈ અને આવુ થાય તો ઈમામે શુ કરવું જોઈએ.
જવાબ :– ફર્ઝ નમાઝમાં આખરી કઅ્દહ ફર્ઝ છે અને તે છૂટવાથી ફર્ઝ નમાઝ ફાસિદ થઈ જાય છે, અને પૂછેલી સૂરતમાં કઅદએ અખીરહ છૂટી ગયો છે એટલે અસરની ફર્ઝ નમાઝ ફાસિદ થઈને નફલ નમાઝ થઈ ગઈ છે, માટે ઈમામ અને મુકતદી બધાંએ જ મજકૂર અસરની નમાઝ ફરીથી પઢવી જરૂરી છે અને તેની કઝા કરવી લાઝિમ છે, મુકતદીઓના લુકમો આપવાથી ઈમામ સાહેબે બેસી જવું જોઈતુ હતું કારણ કે નમાઝી (ઈમામ હોય, મુકતદીઓ, હોય કે મુનફરિદ) જયારે કઅ્દહે અખીરહ છોડી વધારાની રકઅત તરફ ઉભો થઈ જાય તો વધારાની રકઅતનો સજદહ પૂરો કરતાં પહેલાં યાદ આવી જાય અથવા મુકતદી લુકમો આપે તો નમાઝીએ (ઈમામે) બેસી જવું જોઈએ અને કઅ્દહે અખીરહ કરી સજદએ સહવ કરી નમાઝ પૂરી કરવી જોઈએ. (શામી–૧, સજ્દએ સહવ)
પૂછેલી સૂરતમાં છ રકઅત નફલ રૂપે અદા થઈ છે ફર્ઝ નમાઝ ફાસિદ થવાથી અદા થઈ નથી.
Log in or Register to save this content for later.