Chapter : નિકાહ
(Page : 312-313)
સવાલઃ– આજ કાલ બહારથી આવનાર છોકરો અથવા છોકરીની શાદી નક્કી થાય છે, ત્યારપછી વીઝા મળેથી નિકાહ કરે છે, ત્યાં સુધી છોકરો છોકરી સાથે અને છોકરી છોકરા સાથે ફરે છે તો આમ વગર નિકાહે ફરવું કેવું એ જણાવશો, આવો માહોલ જોઈ અહિંના છોકરા છોકરી પણ નિકાહ વગર ફરતા થઈ જાય છે, એ વિશે ખુલાસાવાર જવાબ આપશો અને વીડીઓ પણ કરે છે જેમાં ઈમામ વકીલ – ગવાહના પણ ફોટા લે છે, ઈમામ દીનના દાયી છે, એવા ઈમામ પાછળ નમાઝ પઢવી કેવી? તે જણાવશો.
જવાબ :– જયા સુધી છોકરા – છોકરીના નિકાહ ન થાય ત્યાં સુધી બન્ને એક બીજા માટે પરાયા પુરુષ અને પરાઈ ઓરત ગણાશે. માટે નિકાહ પહેલાં બન્નેવે મુસાફરી કરવી, એકાંતમાં બેસવું, સાથે ખાવું, વાતચીત કરવી બધુ જ ના જાઈઝ છે, નાજાઈઝ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર ઈમામની ઈમામત નાજાઈઝ પ્રવૃત્તિમાં ભાગ ન લેનાર માટે મકરૂહ છે. (શામી – ભા. ૯ / ર)
Log in or Register to save this content for later.