Chapter : નમાઝ
(Page : 479)
સવાલ :– નમાઝ દરમિયાન ખંજવાળ આવે તો કોલ તોડી ખંજવાળવાથી નમાઝમાં શું કોઈ નુકસાન થશે ?
જવાબ :– જો ખંજવાળવા લાયક કોઈ તકલીફ ઉભી થાય તો એક બે વાર ખંજવાળવું વિના કરાહતે જાઈઝ છે અને વિના જરૂરતે એક બે વાર ખંજવાળવું પણ મકરૂહ છે. અને જરૂરતના કારણે અથવા વગર જરૂરતે નમાઝના એક જ રૂકનમાં એક હાથથી ત્રણ વાર એ રીતે ખંજવાળવું કે દરેક વાર ખંજવાળીને હાથ ઉઠાવી લેવામાં આવે અને હાથ ઉઠાવ્યા પછી ખંજવાળવાળી જગ્યાએ ફરી હાથ મૂકી ખંજવાળવામાં આવે તો નમાઝ ફાસિદ થઈ જશે.(શામી –૧ / ૪૩૦, ઉમ.ફિકહ–ર/ રપ૭, ર૬૬)
Log in or Register to save this content for later.