[૪૬૩] પેશાબના તકાઝા સાથે નમાઝ

Chapter : નમાઝ

(Page : 478)

સવાલ :– નમાઝ પઢવા પહેલાં જો પેશાબની હાજત હોય તેવી હાલતમાં પેશાબ કર્યા વગર વુઝૂ કરીને નમાઝ પઢે તો નમાઝ અદા થશે કે નહિ?

જવાબ :– જો પેશાબનો ખૂબ જ તકાઝો હોય કે માણસ બેચેન થઈ જાય તો આવી હાલતમાં નમાઝ પઢવી મકરૂહે તહરીમી અને ગુનાહ છે, નમાઝ અધૂરી અદા થશે અને જો ખૂબ ઝોરમાં તકાઝો ન હોય પરંતુ એટલો તકાઝો હોય કે નમાઝમાં પેશાબ તરફ ધ્યાન રહે અને નમાઝ તરફથી ધ્યાન હટી જાય તો આ હાલતમાં નમાઝ મકરૂહે તનઝીહી છે. અને પહેલી હાલત જેટલું બુરૂ નથી અને જો નમાઝથી ધ્યાન હટી જાય એટલો તકાઝો નથી તો આવી હાલતમાં નમાઝ વિના કરાહતે જાઈઝ છે અને નમાઝ છુટવાનો ભય ન હોય તો આવી હાલતમાં પેશાબ કરીને જ નમાઝ પઢવી અફઝલ છે અને પહેલી બે હાલતોમાં તો નમાઝ છોડવી જાઈઝ છે બલકે જમાઅત છોડીને પેશાબથી ફારિગ થવું અફઝલ છે અહિંયા સુધી કે નમાઝમાં પેશાબનો એવો તકાઝો થાય કે નમાઝથી ધ્યાન હટી જાય તો નમાઝ તોડી નાંખવી જોઈએ અને પેશાબથી ફારિગ થઈ નમાઝ પઢવી જોઈએ.(શામી ભાગ–૧/૪૪૦)  (દર્સે તિરમીઝી ભાગ–૧/૩૮૧)

Log in or Register to save this content for later.