Chapter : નમાઝ
(Page : 478)
સવાલઃ– ઈમામ સાહેબ ઘણી ફર્ઝ નમાઝોમાં રૂકૂઅમાં સુબ્હાન રબ્બિયલ્ અઝીમ દસ વખત પઢી શકાય એટલો સમય લે છે, તેમના મત મુજબ બીજા નમાઝીને જમાઅત મળી શકે એથી રૂકૂઅ લંબાવે છે તો આ બાબત શું હુકમ છે?
જવાબ :– પાછળથી આવનાર નમાઝીઓને રકઅત મળવાના હેતુથી ઈમામે રૂકૂઅની તસ્બીહ એટલા પ્રમાણમાં પઢવી કે નમાઝમાં શરીક નમાઝીઓ માટે આ પ્રમાણે રૂકૂઅનું લંબાણ બોજરૂપ બની જાય એ મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે અને આવનાર માટે રુકૂઅને લાંબો કરવો એ પણ મકરૂહ છે. (શામી ભાગ–૧ / ૩૩ર)
Log in or Register to save this content for later.