[૪૬૦] મકરૂહે તહરીમી અને તનઝીહીનો મતલબ

Chapter : નમાઝ

(Page : 477)

સવાલ :–(૧)  મકરૂહ અને મકરૂહે તહરીમી કોને કહેવાય ?

જવાબ : –(૧) મકરૂહના બે પ્રકાર છે :

                (૧) મકરૂહે તનઝીહી,        (ર) મકરૂહે તહરીમી.

                મકરૂહે તનઝીહી કોઈ વસ્તુનું છોડવું તેના કરવા કરતાં બેહતર હોય તેવા હુકમને મકરૂહે તનઝીહી  કહેવામાં આવે છે. તે વસ્તુને છોડવાથી સવાબ મળે છે અને કરવાથી અઝાબ નહિં થાય અને તે જાઈઝ હોવાના વધુ નિકટ છે, પરંતુ તેને કરવું ઈચ્છનીય નથી.

                કોઈ વસ્તુનું છોડવું અને તેનાથી બચવું જરૂરી હોય અને તેને કરવું જાઈઝ ન હોય એવા હુકમને મકરૂહે તહરીમી કહેવામાં આવે છે. મકરૂહનો આ પ્રકાર એટલે કે મકરૂહે તહરીમી હરામ હોવાના વધુ નિકટ છે. મકરૂહે તહરીમીનો ઈન્કાર કરનાર ફાસિક છે અને જો ઈન્કાર તો ન કરે, પરંતુ મકરૂહે તહરીમી વસ્તુ કરવાની આદત બનાવી લે તો તે ફાસિક અને ગુનેહગાર છે.  (તહતાવી : ૧૧૮, શામી, ભાગ–૧/૩૦૬–૩૧૯, ઉમ્દતુલ ફિકહ, ભાગ–૧/૯૦)

Log in or Register to save this content for later.