Chapter : નમાઝ
(Page : 139-140)
સવાલ :– ઝોહરની ફર્ઝ નમાઝની બે રકઆતો પઢી ચારના બદલે, હવે બાકીની બે રકઆતો કેમ પઢવી ?
જવાબ :– જો મસ્જિદમાં નમાઝ પઢતા હોય અને ભૂલથી ઝોહરની બે રકઆત પઢીને સલામ ફેરવી આપી અને તે પછી મસ્જિદના જમાઅતખાનામાંથી નીકળતાં પહેલાં અને કોઈ વાતચીત કરતાં પહેલાં યાદ આવ્યું તો બીજી બે રકઆત પઢી સજદએ સહ્વ કરી નમાઝ પૂરી કરવામાં આવે અને જો કોઈ વાતચીત કરી લીધી અથવા મસ્જિદના જમાઅતખાનાથી બહાર નીકળ્યા પછી યાદ આવ્યું તો હવે નવેસરથી ઝોહરની ફર્ઝ નમાઝની ચાર રકઆત પઢવી પડશે અને જો મસ્જિદમાં નમાઝ ન પઢતા હોય બલ્કે ઘરમાં પઢતા હોય તો પોતાની જ નમાઝની જગ્યાએથી હટી ગયા પછી યાદ આવે અથવા કોઈથી વાતચીત કર્યા પછી યાદ આવે તો પૂરી ઝોહરની નમાઝ ફરીથી પઢવી પડશે અને એથી પહેલાં યાદ આવી જાય તો બાકી રહેલી બે રકઆત પઢીને સજદએ સહ્વ કરી લેવાથી નમાઝ પૂરી અને દુરુસ્ત થઈ જશે.
(શામી, ભાગ–૧/પ૦પ)
Log in or Register to save this content for later.