Chapter : નિકાહ
(Page : 302)
સવાલ :– સ્ત્રીને હમલ રહયા પછી સાત માસે જે ખોળો ભરવાની વિધિ થાય છે તો આ વિધિ કેવી હોવી જોઈએ, તેમાં જમણનો પ્રસંગ રાખી શકાય? કેટલી હદ સુધી? આ વિધિ કરવી જ પડે ? ન કરે તો વાંધો ખરો? સાત મહીને જ કરવી?
જવાબઃ– હામિલહ ઓરતનો ખોળો ભરવાની પ્રથાનો શરીઅતથી કોઈ સુબૂત નથી. આ પ્રથા ગેર મુસ્લિમોમાંથી મુસ્લિમોમાં પ્રવેશી છે, આ વિધિને જરૂરી સમજવી એ જાઈઝ નથી અને તેમાં દીની રીતે ઘણી ખરાબીઓ છે, માટે આવા ગેર ઈસ્લામી રીત રિવાજોનો ત્યાગ કરવો જોઈએ, ઈસ્લામમાં તો ઓરતની પ્રસૃતિની જવાબદારી પતિની છે, માટે પતિના ઘરે જ તેની પ્રસૃતિ થવી જોઈએ. (ઈસ્લાહુલ રૂસૂમ, શામી–ર)
Log in or Register to save this content for later.