Chapter : નિકાહ
(Page : 300-301-302)
સવાલ :– (૧) આમ તોર પર શાદીના પ્રસંગે ઓરતો શાદીવાળાને ત્યાં ખાંડ લઈને જાય છે, શું શરીઅતમાં આ રિવાજને કોઈ સ્થાન છે? આ રિવાજ કરવામાં શરઈ દષ્ટિએ કોઈ વાંધો ખરો ?
(ર) શાદી પ્રસંગોએ નાળિયેરની આપ–લે કરવાનો પણ એક ખાસ રિવાજ એ વિશે શરીઅતમાં શું હુકમ છે ?
(૩) શાદીના ખાણા પછી અમુક રકમ લખવામાં (મંડાવવામાં) આવે છે, તો એ રીતે પૈસા આપવાને શાદીવાળાએ તે લેવા જાઈઝ છે ? અથવા દુલ્હા, દુલ્હનને પૈસા આપી બલા લેવામાં આવે છે, આ બધા રિવાજો શરીઅતની દ્રષ્ટ્રિીએ કરવા જાઈઝ છે કે નાજાઈઝ ?
જવાબ :– હઝરત રસૂલ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના ઈર્શાદાતમાં રિશ્તેદારો અને પડોશીઓના પરસ્પર એક બીજાને હદિયો – તોહફો આપવા બાબત ઉત્સાહ આપવામાં આવ્યો છે અને એથી થતા ફાયદાઓ બતાવવામાં આવ્યા છે કે દિલોમાં એક બીજા વિશે કિના કપટ, દુશ્મનાવટ દુર થાય છે અને મુહબ્બત પેદા થાય છે. (મિશ્કાત – ર૬૧)
પરંતુ શાદી પ્રસંગે થતા મજકૂર રિવાજો હેઠળની લેવડ દેવડ શરીઅતથી સાબિત નથી, બલ્કે એ રિવાજો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના અનેક ઈર્શાદાત વિરૂધ્ધ હોવાથી નાજાઈઝ અને ત્યાગ પાત્ર છે.
(૧) તોહફામાં ખાંડ, નાળિયેરને જરૂરી અને તેને શુકન સમજવામાં આવે છે જો કોઈ ન લઈ જાય તો અપશુકન સમજવામાં આવે છે અને હદીસ શરીફમાં અપશુકન સમજવા મનાઈ આવેલી છે. (મિશ્કાત – ૩૯૧)
(ર) વળી આ રિવાજ હિન્દુ સમાજમાંથી મુસ્લિમ સમાજમાં આવ્યો છે. અને રિત રિવાજોમાં ગેરોનું અનુકરણ કરવાની પણ શરીઅતમાં મનાઈ છે અને તે હદીસ શરીફથી સાબિત છે.
(૩) તદઉપરાંત કોઈ મુસ્તહબ કામને ફર્ઝ અને વાજિબની જેમ જરૂરી સમજવું નાજાઈઝ અને બિદઅત છે, એક જાઈઝ કામને ફર્ઝ કે વાજિબ બલ્કે તેથી વધુ મહત્વપૂર્ણ સમજવું અને કરવું કયાંથી જાઈઝ હોય શકે ? હદીસ શરીફમાં ગેર જરૂરી બાબતોને જરૂરી સમજવાને – ઠેરવ્વાને શયતાનની ખુશીનું કારણ અને શયતાની ભાગ બતાવ્વામાં આવ્યો છે. (મિશ્કાત : ૮૭ – ઈસ્લાહુર્રુસુમ : પેજ ૮૩)
(૪) ખાંડ, નાળિયેર વિગેરેની લેવડ દેવડ પોતાની અંદરની ખરી રાજી ખુશીથી હોતી નથી, ફકત રિવાજોના ભારથી અને મહેણાં ટોણાના ભયથી કરવામાં આવે છે. હાલાંકે હદીસ શરીફમાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે સાંભળો અને જાણી લો કે કોઈ વ્યકિતનો માલ તેની દિલી ખુશી વગર તમારા માટે હલાલ નથી. (મિશ્કાત : રપપ)
દુલ્હાની બલા લેવામાં બેપરદગી અને તેથી પણ સખત પરિણામોનો ભય છે, માટે પૈસાની લેવડ દેવડ વિગેરે તમામ મજકૂર રિવાજોથી બચવું જરૂરી છે. મવલાના થાનવી (રહ.)એ પોતાની કિતાબમાં આ રિવાજોને કયામતે કુબ્રાના હેડિંગથી લખ્યું અને છેવટે લખ્યું કે ”દિનદાર કો ચાહિયે કે ન ખૂદ ઈન રસમો કો કરે ઔર જિસ તકરીબમેં યે રસમેં હો વહાં શરીક ન હો. સાફ ઈન્કાર કર દે, બિરાદરી, કુમ્બે કી રઝામંદી અલ્લાહ તઆલાકી નારાજગી કે રૂબરુ કુછ કામ ન આયેગી.” (ઈ.રુસૂમઃ ૮૬)
Log in or Register to save this content for later.