Chapter : કુરબાની
(Page : 389-390)
સવાલ :– કુરબાની માટે વાછરડો ખરીદેલ છે. બંનેવ કાનની અણીઓ કપાયેલી છે, લગભગ (૧॥) દોઢ દોઢ ઈંચ જેવી કપાયેલી છે, તો શું આ જાનવર કુરબાની માટે ચાલશે?
જવાબ :– બંનેવ કાનોનો જે ભાગ કપાયેલો છે તેનું માપ નકકી કરી જોવામાં આવે કે બંનેનો કુલ કપાયેલો ભાગ પૂરા એક કાનના ત્રીજા ભાગથી વધુ પ્રમાણમાં છે કે નહિ. જો કુલ કપાયેલો ભાગ પૂરા કાનના ત્રીજા ભાગથી વધુ પ્રમાણમાં કપાયેલો હોય તો એવા જાનવરની કુરબાની જાઈઝ નથી. અને જો ત્રીજા ભાગથી વધુ પ્રમાણમાં કપાયેલો ન હોય તો તેવા જાનવરની કુરબાની જાઈઝ છે. (શામીઃ ભાગ–પ/ર૦૬)
Log in or Register to save this content for later.