[૩૧પ] ઉધાર ખરીદેલા જાનવરની કુરબાની

Chapter : કુરબાની

(Page : 387-388)

સવાલઃ– મારા ઉપર કુરબાની વાજિબ છે, મારી હાલત સારી છે, પણ પૈસા કુરબાની પછી આવવાની શકયતા છે તો જાનવર ઉધાર લઈ કુરબાની કરીને કુરબાનીના ૧પ દિવસ પછી પૈસા જાનવરના માલિકને આપીએ તો કુરબાની ચાલે કે કેમ? જાનવરનો માલિક માલદાર માણસ છે, વિગત જણાવશો.

જવાબઃ– રકમ ચુકવવાની ચોક્કસ મુદ્દત નક્કી કરી ઉધાર જાનવર ખરીદવામાં આવે અને તેની કુરબાની કરવામાં આવે એ જાઈઝ છે, કુરબાની માટે રોકડ કિંમતથી જ જાનવર ખરીદવું જરૂરી નથી. (શામીઃપ)a

Log in or Register to save this content for later.