Chapter : કુરબાની
(Page : 387)
સવાલઃ– કુરબાનીનું જાનવર છે તેને કુતરાએ કરડયું છે અને એના ઘા પણ સાધારણ દેખાય છે અને ચાલતા તેનો પગ લેંગાય છે, લુંલું ચાલે છે, તો એવા જાનવરની કુરબાની થઈ શકે કે કેમ?
જવાબઃ– જે કુતરાએ કરડયું છે તે હડખાયું (બાવલું) હોય તો તેની કુરબાની ન કરવામાં આવે, કારણ કે હળખાયા કુતરાના કરડવાથી ગોશ્તમાં તેનો અસર થાય છે અને જો કરડનાર કુતરૂં હળખાયું ન હતું અને જે પગે લુંલું ચાલે છે તે પગને જમીન પર ગોઠવીને ચાલતું હોય તો મઝકૂર જાનવરની કુરબાની દુરસ્ત છે, અને જો લેંગાતો પગ ચાલતી વખતે જમીન ઉપર ગોઠવતું ન હોય તો તે જાનવરની કુરબાની દુરસ્ત નથી. (શામી–પ)
Log in or Register to save this content for later.