[૯પ] તસમીઅની જગ્યાએ તકબીર પઢવી

Chapter : નમાઝ

(Page : 139)

સવાલ :– અમારે ત્યાં એક ઈમામ સાહેબે અસરની ચાર રકઅત ફર્ઝમાં ત્રીજી રકઅતમાં સૂરએ ફાતિહા સાથે સૂરત મીલાવી અને રૂકૂઅ વખતે ‘‘સમીઅલ્લાહુ લિમન હમિદહની જગ્યાએ અલ્લાહુ અકબર કહયું અને છેવટમાં સજદએ સહ્‌વ પણ કર્યો, તો શું નમાઝમાં ફસાદ આવશે ? અને નમાઝ દોહરાવવી પડશે કે નહિ ?

જવાબ :– તસમીઅની જગ્યાએ તકબીર પઢવાથી અને ત્રીજી રકઅતમાં સૂરએ ફાતિહા સાથે સૂરત મેળવવાથી ન નમાઝ ફાસિદ થશે અને ન સજદએ સહ્‌વ કરવાની જરૂર હતી. વિના સજદએ સહ્‌વ કરાહત વગર નમાઝ દુરુસ્ત હતી. હવે વિના જરૂરતે સજદએ સહ્‌વ વધારાનો કર્યો એટલે નમાઝ દોહરાવી લેવી જોઈએ.

(શામી, ભાગ–૧, અઝીઝુલ ફતાવા : રપ૬)

Log in or Register to save this content for later.