Chapter : નિકાહ
(Page : 284-285)
સવાલ :– અમારી શાળામાંથી આવતા અઠવાડીએ પર્યટન જવાનો પ્રોગ્રામ છે, એમાં બધા શિક્ષકો પણ જશે, પર્યટનનો તમામ ખર્ચ એટલે વાહન ભાડું – નાશ્તો વિગેરે બાળકો પાસેથી ઉઘરાવેલ રકમમાંથી આપવાનું અને શિક્ષકોને ખર્ચ પણ બાળકોના લાવેલ પૈસામાંથી જ આપવો એમ બધા શિક્ષકોનું કહેવું છે, પરંતુ મારું દિલ માનતું નથી કે બાળકોના પૈસે શિક્ષકો પ્રવાસ કરે, તો શું આ રીતે બાળકોના ખર્ચે પ્રવાસ કરી શકાય ? વાહન માટે ટ્રક લઈ જવાની છે જેમાં વ્યકિતગત ભાડુ નથી, પણ ઉચ્ચક આખા દિવસનું ભાડું આપવાનું છે તો આ સૂરતમાં શું કરવું ?
જવાબ :– નાબાલિગ છોકરાઓના પૈસાથી મુસાફરી અને પોતાનો બીજો ખર્ચ ન કરી શકાય, અસલ એ રકમ તો બાળકોના વાલીઓ આપશે અને તેઓની જ ગણાશે, તેઓએ શિક્ષકોને પોતાના બાળકોના સફર ખર્ચ માટે રકમ આપી છે, જો તેઓ તરફથી શિક્ષકો માટે સફર ખર્ચ લેવાની સંમતિ હોય તો શિક્ષકો પોતાનો સફરખર્ચ તે રકમમાંથી લઈ શકે છે અને વાલીઓએ ખર્ચ લેવાની રજા આપવી જોઈએ, કારણ કે શિક્ષકો તેઓના બાળકોને પર્યટનમાં લઈ જવા જ મુસાફરી કરે છે પોતાની જરૂરત માટે સફર નથી કરતાં.
Log in or Register to save this content for later.