[ર૪૦] સંતાનોનો ભરણપોષણ ખર્ચ તેમના માલમાંથી રહેશે

Chapter : નિકાહ

(Page : 280)

સવાલ :– અત્યારે મરહૂમ મુહંમદ ભાઈની અવલાદ સગીર વયની છે, જેમાં જુનેદ બાલિગ છે, તો પૂછવાનું એ કે અવલાદ જે ભાઈના (કાકાના) ભેગા રહે તો એમનો સંપૂર્ણ ખર્ચ એમની (અવલાદ જુનેદ, તસનીમ, અનીસાની) મિલકતમાંથી ખર્ચ કરી શકે છે ?

જવાબ :– નાબાલિગ અને બાલિગ છોકરા – છોકરીઓના ભરણ પોષણ ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચ તેઓની માલિકીના માલ – મિલ્કત માંથી કરી શકાય છે.        (શામી – ૬૭૧ ભા.ર)

Log in or Register to save this content for later.