[ર૩૮] મા તથા બહેનનું ભરણ પોષણ

Chapter : નિકાહ

(Page : 279)

સવાલઃ– મા તથા બહેનને ભરણ પોષણના દર મહીને ઔલાદે  રૂપિયા ચુકવવા પડે કે કેમ ? જયારે કે કોઈ પણ હિસાબે મા તથા બહેન ઔલાદ સાથે રહેવા તૈયાર નથી.

જવાબઃ– વાલિદહ માલદાર ન હોય તો એમનો ખર્ચ અવલાદ ઉપર રહેશે. એવી જ રીતે બહેન જો તે ગરીબ હોય તો એનો ખર્ચ પણ ભાઈ ઉપર રહેશે. (આલમગીરી–૧/ પ૬૪, હિદાયા ર / ૪ર૬) (શામી ર / ૪૭૭) પોતાનો ખર્ચ પોતે ન નિભાવી શકનાર માં – બહેનના ખર્ચ પેટે ખાવા – પીવાનો, કપડાં તથા રહેવાનું મકાન પુત્રોએ આપવાનું રહેશે.

(શામી ર/ ૬૭ર)

Log in or Register to save this content for later.