[ર૩૭] મા–બાપનું ભરણપોષણ

Chapter : નિકાહ

(Page : 278)

સવાલ :–  છોકરા માટે બાલિગ થવા બાદ વાલિદેનની ખિદમત જાની અને માલી એઅતેબારથી કેટલી કરવી જરૂરી છે ? અગર છોકરો બન્‍ને પગોથી અને એક હાથથી મઅઝૂર હોવાથી લાચાર હોય, બંને પગ બિલકુલ જ કામ નથી કરતાં તેમજ એક હાથ પણ બિલકુલ કામ નથી કરતો, ગુસલ, પેશાબ – પાખાનુ, કપડાં પહેરવા અહિંઆ સુધી કે રાત્રે કરવટ બદલવામાં પણ બીજી વ્યકિતઓનો સહારો લેવો પડે છે. પોતાના ભરણ પોષણ માટે ગવર્મેન્ટ પૂરે પૂરો ખર્ચ આપે છે, ભાઈઓ અને વાલિદૈન કોઈનો પણ સહારો નથી, ગવર્મેન્ટ વાલિદૈનને પણ ભરણ પોષણનો ખર્ચો આપે છે, સાથે બીજા ભાઈઓ પણ વાલિદૈનને અવાર નવાર મદદરૂપ છે, અવા સંકટ સમયમાં છોકરા માટે વાલિદૈનને મદદ કરવી જરૂરી છે કે નહીં, અગર મદદ ન કરી શકે તો ગુનેહગાર યા માં બાપની બદ્‌દુઆના કાબિલ ગણાશે ? શરઈ દલીલની રોશનીમાં જવાબ આપશો.

જવાબઃ– જો છોકરો  શરઈ દ્રષ્ટ્રિએ માલદાર હોય અને માં–બાપ ગરીબ હોય તો છોકરા માટે પોતાના મા – બાપનું ભરણ પોષણ કરવું વાજિબ છે અનેક છોકરાઓ હોય અને મા – બાપ ગરીબ હોય તો બધા છોકરાઓએ મળી માં–બાપનું ભરણ પોષણ કરવું વાજિબ છે, પરંતુ જો છોકરો માલદાર હોય અને મા – બાપ પણ માલદાર હોય છોકરાની માલી મદદના મોહતાજ ન હોય તો છોકરા માટે વાલિદૈનનું ભારણ પોષણ કરવું વાજિબ નથી, એ જ પ્રમાણે જો છોકરો અને માં–બાપ બન્‍ને ગરીબ હોય, તો પણ ગરીબ છોકરા માટે મા – બાપનું ભરણ પોષણ કરવું વાજિબ નથી.  (મબસૂત–પ,૬/રરર)

Log in or Register to save this content for later.