Chapter : નિકાહ
(Page : 276-277)
સવાલ :– એક માણસે પોતાની મિલ્કત છોકરા તથા છોકરીઓને નામે કરી છે, છોકરાના બે ભાગ અને છોકરીનો એક ભાગના પ્રમાણે છોકરા – છોકરીઓના નામે મિલ્કત કરતાં ધણી – ધણીયાણીએ ફકત બે બે, એક પોતાના નામ પર રાખી છે, એ લોકોને આ સીઝન લીધા પછી કબજો સોંપી દેવા વિચાર છે અને કબ્ઝો સોંપ્યા પછીની માં–બાપની શરત છે કે હમો દરમિયાની જીવન જીવવા માટેનો તમામ ખર્ચ (ભરણ પોષણનો) ત્રણેવ છોકરા ઉઠાવી લેવા સંમત થતા હોય તો એ મિલ્કતનો કબજો સોંપવા તૈયાર છે અને જો તેઓ આ શરત કબૂલ ન કરે અને ઓરત આ મિલ્કતની ઉપજ અમને ખાવા માટે કહે તો એ ઉપજ અમારે લેવી કેમ છે તે જણાવશો ?
જવાબઃ– જે મિલ્કત કોઈ કારણસર હિતાવહ સમજી સરકારી દફતરે પોતાની અવલાદના નામ પર કરી દીધી હોય તે મિલ્કતની શરઈ દ્રષ્ટ્રિએ અવલાદ ત્યાં સુધી માલિક બનશે નહિ જયાં સુધી તેમને કબજો સોંપવામાં આવશે નહીં, તે મા–બાપની જ માલિકીની ગણાશે. તે મિલ્કતની ઉપજના માલિક પણ મા–બાપ જ રહેશે. એટલે તે વિના સંકોચે વાપરી શકે છે અને નામ પર કરી લેવાથી હાલ તેમને કબજો સોંપી દેવો પણ જરૂરી નથી. (ઈ.મુફતીય્યીન :૧પ, ભા. ૭– ૮)
હયાતીમાં જો અવલાદને મિલ્કત વહેંચવી હોય તો છોકરા – છોકરીને બરાબર આપવામાં આવે, કારણ કે હયાતીમાં બન્નેવનો હક બરાબર છે, છોકરાને બે ભાગ અને છોકરીને એક ભાગ એ વારસા વહેંચણી માટેનો નિયમ છે, હયાતીમાં જે આપવામાં આવે તે વારસો નથી, બખ્શિશ છે.
(દુર્રે મુખ્તાર, શામી – ૬૭૬ – ૬૭૮ ભાગ – ર)یعطی البنت کالابن عند الثانی وعلیہ الفتوی
જો માં-બાપ પોતાની મિલ્કતના માલિક હયાતીમાં જ અવલાદને બખ્શિસ કરી બનાવી દે અને ગરીબ મોહતાજ થઇ જાય તો અવલાદ પર એમનું ભરણ પોષણ કરવું વાજિબ થશે અને જો અવલાદમાંથી છોકરા-છોકરીઓ બધા જ સભ્યો માલદાર હશે તો બધા જ ભરણ પોષણની જવાબદારીમાં ભાગીદાર ગણાશે. ફકત છોકરાઓ જવાબદાર નહીં રહે. હાં જો અમુક સભ્યો માલદાર હોય અને બીજા માલદાર ન હોય તો ફકત માલદાર અવલાદની જવાબદારી રહેશે, એવી જ રીતે જે સભ્યોની માલદારીમાં મોટો તફાવત હોય તો ભરણ પોષણમાં પણ તફાવત રાખવામાં આવશે.
یجب علی موسر ولوصغیراً یسار الفطرۃ علی الارجح۔۔۔۔۔۔۔ النفقۃ لاصولہ الفقراء ولوقادرین علی الکسب ۔۔۔۔۔۔۔بالسویۃ بین الابن والبنت۔
(દુર્રે મુખ્તાર, શામી-૬૭૬-૬૭૮ ભાગ-૨)
Log in or Register to save this content for later.