Chapter : નિકાહ
(Page : 272-273)
સવાલઃ–(૪) જયાં સુધી ઓરત નિકાહમાં હોય ત્યાં સુધી તેના ભરણ પોષણની (પછી ભલેને બાપને ઘરે રહેતી હોય) શવહરના જીમ્મે છે, એ વાત સાચી છે ?
જવાબઃ– (૪) જયાં સુધી ઓરત નિકાહમાં હોય અને શોહરના ઘર ઉપર રહેતી હોય ત્યાં સુધી તેના ભરણ પોષણની જવાબદારી શોહરની છે, એવી જ રીતે જો બાપના ઘરે રહેતી હોય અને શોહરની રજા મેળવી રહેતી હોય, આપ ખુદી અને શોહરની મરજી વિરૂધ્ધ ત્યાં ન રહેતી હોય તો તે મુદ્દત દરમ્યાન પણ જો ઓરત ભરણ પોષણની માંગણી કરે તો શોહરની જવાબદારી છે, પરંતુ જે મુદ્દત વીતી ગઈ હોય તો વીતેલી મુદ્દતના ભરણ પોષણની જવાબદારી ઉપરોકત જવાબની વિગત મુજબ શવહરના શિરે રહેતી નથી. (શામી : ર/૬૪૬)
Log in or Register to save this content for later.