Chapter : નિકાહ
(Page : 271-272)
સવાલઃ– (૩) જયારે બાપ સમાજના પ્રચલિત રિવાજના આધારે દીકરીને સુવાવડ કરાવવા તેડી ગયો હોય ત્યારે તે બાપને શરીઅતના હુકમ યા કાયદા મુજબ જેટલો સમય દીકરી બાપના ઘરે રહી છે તે સમય દરમ્યાનનું ભરણ પોષણ માંગવાનો હક ખરો ?
જવાબઃ– (૩) જો ઓરતને બાપના ઘરે બોલાવી જતી વખતે અથવા તેથી પહેલાં પતિ – પત્ની બન્નેએ પરસ્પર એક બીજાની સહમતીથી ઓરતના ભરણ પોષણ ખર્ચનું કોઈ પ્રમાણ નકકી કર્યુ હોય, અથવા કોર્ટ દ્વારા તેનું પ્રમાણ મજકૂર નિશ્ચિત સમયમાં નકકી થયું હોય, તો ઓરત બાપના ઘર ઉપર રોકાણ દરમ્યાનનો ભરણ પોષણ ખર્ચ શરીઅતના હુકમ મુજબ પોતાના પતિથી માંગી શકે છે. અને ઓરતના કહેવાથી ઓરતનો બાપ પણ માંગી શકે છે. બાકી જો ઉકત વિગત મુજબ કોઈ એક સૂરતથી પણ ભરણ પોષણનું પ્રમાણ અને મર્યાદા નકકી ન થઈ હોય તો પાછલી મુદ્દતના ભરણ પોષણ પતિ પાસેથી માંગવાની ઓરત હકદાર નથી. (શામી–ર/૬પ૮)
Log in or Register to save this content for later.