Chapter : કુરબાની
(Page : 362)
સવાલઃ– કુરબાનીના જાનવરનો પગ ભાગી ગયો છે. જો કે ઝબહ કરવાની જગ્યા સુધી જઈ શકે છે પરંતુ ભાગેલી ખોડ ચોખ્ખી માલૂમ પડે છે તો કુરબાનીમાં ચાલી શકે કે નહિ?
જવાબઃ– જો પગ ભાગી ગયા પછી તે ગલત તરતીબથી સંધાય ગયો છે અને ચાલવામાં તે પગ પણ જમીન પર મૂકીને ચાલે છે, ચાહે ચાલવામાં ખોડ માલૂમ પડતી હોય તો પણ એવા જાનવરની કુરબાની દુરસ્ત છે. હા, જો ચાલતી વખતે તે પગ જમીન ઉપર ન મૂકતું હોય તો કુરબાની દુરસ્ત નથી. (દુર્રે મુખ્તાર શામી–પ/ર૦પ)
Log in or Register to save this content for later.