[૯૧] સજદહમાં ચૂપ રહેવું

Chapter : નમાઝ

(Page : 136)

સવાલ :– ફર્ઝ કે સુન્નત નમાઝના સજદહમાં સજદહની તસ્બીહ પઢી એક બે મિનિટ ચુપ રહીએ તો સજદએ સહ્‌વ વાજિબ થશે કે નહિ ?

જવાબ :– સજદહની હાલતમાં ભૂલથી ચુપ રહેવાથી સજદએ સહ્‌વ વાજિબ નહિં થાય અને ઈરાદાપૂર્વક ચુપ રહેવાથી બચવું જોઈએ અને જેટલી વાર સજદહમાં રહે તસ્બીહ પઢતાં રહેવું જોઈએ.

(શામી ૧/પ૦૬)

Log in or Register to save this content for later.