Chapter : નમાઝ
(Page : 136)
સવાલ :– ફર્ઝ કે સુન્નત નમાઝના સજદહમાં સજદહની તસ્બીહ પઢી એક બે મિનિટ ચુપ રહીએ તો સજદએ સહ્વ વાજિબ થશે કે નહિ ?
જવાબ :– સજદહની હાલતમાં ભૂલથી ચુપ રહેવાથી સજદએ સહ્વ વાજિબ નહિં થાય અને ઈરાદાપૂર્વક ચુપ રહેવાથી બચવું જોઈએ અને જેટલી વાર સજદહમાં રહે તસ્બીહ પઢતાં રહેવું જોઈએ.
(શામી ૧/પ૦૬)
Log in or Register to save this content for later.