Chapter : નમાઝ
(Page : 134-135-136)
સવાલ :– જો કોઈ નમાઝી નમાઝના કયામમાં અથવા રુકૂઅ કે સજદહમાં ભૂલથી અત્તહિય્યાત પઢી લે અથવા કઅ્દહમાં ડબલ વખત અત્તહિય્યાત પઢી લે તો સજદએ સહ્વ વાજિબ થશે કે નહિં ?
જવાબ :– જો ફર્ઝ કે સુન્નત–નફલ નમાઝની પહેલી રકઅતના કયામમાં સૂરએ ફાતિહાથી પહેલાં અત્તહિય્યાત ભૂલથી પઢી લીધી તો સજદએ સહ્વ વાજિબ નહિં થાય અને જો સૂરએ ફાતિહા પછી પઢી તો સૂરતના પઢવામાં મોડું થવાથી સજદએ સહ્વ વાજિબ થશે અને જો કોઈપણ પ્રકારની નમાઝની બીજી રકઅતના કયામમાં સૂરએ ફાતિહાથી પહેલાં કે પછી અત્તહિય્યાત પઢી તો બન્ને સૂરતોમાં સજદએ સહ્વ વાજિબ થશે, કારણ કે સૂરએ ફાતિહા અથવા સૂરતના પઢવામાં મોડું થયું છે. જો કે ‘બહરમાં ફાતિહાથી પહેલાં પઢવાની સૂરતમાં સજદહ વાજિબ ન થવાને રાજિહ બતાવ્યું છે, પરંતુ એહતિયાત સજદહ કરવામાં છે અને જો ફર્ઝ નમાઝની ત્રીજી અથવા ચોથી રકઅતના કયામમાં સૂરએ ફાતિહાથી પહેલાં કે પછી અત્તહિય્યાત પઢી છે તો સજદએ સહ્વ વાજિબ નહિં થાય, કારણ કે આ સૂરતમાં કોઈ વાજિબમાં તાખીર થયેલી નહિં ગણાય અને અત્તહિય્યાત અસ્થાને પઢેલી નહિં ગણાય અને જો ચાર રકઅતવાળી સુન્નતે મુઅક્કદહ નમાઝની ત્રીજી અથવા ચોથી રકઅતમાં સૂરએ ફાતિહાથી પહેલાં કે પછી અત્તહિય્યાત પઢી તો સજદએ સહ્વ વાજિબ થશે, કારણ કે સૂરએ ફાતિહા અથવા સૂરતમાં મોડું થયેલું ગણાશે અને જો ચાર રકઅતવાળી સુન્નતે ગેર મુઅક્કદહ અને નફલ નમાઝની ત્રીજી રકઅતમાં સૂરએ ફાતિહાથી પહેલાં અત્તહિય્યાત પઢી તો સજદએ સહ્વ વાજિબ નહિં થાય, કારણ કે સના તરીકે અત્તહિય્યાત પઢવાથી ફાતિહામાં મોડું થયેલું નહિં ગણાય અને જો સુન્નતે ગેર મુઅક્કદહ અને નફલ નમાઝની ચોથી રકઅતમાં સૂરએ ફાતિહાથી પહેલાં કે પછી અત્તહિય્યાત પઢી તો સજદએ સહ્વ વાજિબ થશે, કારણ કે સૂરએ ફાતિહા કે સૂરતની કિરાઅતમાં મોડું થયેલું ગણાશે.
(આલમગીરી ૧/૧ર૭, શામી ૧/૪પ૪
બહર ર/૯૭, ફ. કદીર ૧/૪૩૯)
જો કોઈપણ પ્રકારની નમાઝના રુકૂઅ અથવા સજદહમાં ભૂલથી અત્તહિય્યાત પઢી લે તો સજદએ સહ્વ કરવો વાજિબ છે.
(કાઝીખાન કમ હિંદિય્યહ ૧/૧ર૧, કબીરી ૪૬૦)
જો કોઈપણ પ્રકારની નમાઝના કઅ્દએ ઉલામાં અત્તહિય્યાત ડબલવાર પઢે તો સજદએ સહ્વ વાજિબ થશે અને છેલ્લા કઅ્દહમાં ડબલવાર પઢે તો સજદએ સહ્વ વાજિબ નહિં થાય.
(બહર ર/૯૭ આલમ ૧/૧ર૭)
Log in or Register to save this content for later.