[ર૬૧] કુરબાનીના દિવસો પછી કાગળ મળે

Chapter : કુરબાની

(Page : 342)

સવાલઃ– કુરબાની કરવા બહારથી જવાબ આવ્યો. ઈદના પ–૬ દિવસ પછી મળ્યો તો હવે શું કરવું ?

જવાબઃ– કુરબાની કરવાનો કાગળ લખનાર જો નફલી કુરબાની કરાવવા ચાહતો હતો તો હવે સદકો કે કુરબાની કોઈ વસ્તુ વાજિબ નથી, અને જો માલદારીની વાજિબ કુરબાની કરાવવા ચાહતો હતો તો કુરબાનીમાં ચાલી શકે એવા એક મધ્યમ પ્રકારના જીવતા બકરા કે બકરીની અથવા જીવતા ઘેટા કે ઘેટીનો અથવા તેની કિંમતનો ગરીબોને સદકો કરી દેવો તેના શિરે વાજિબ છે.     (દુ.મુખ્તાર શામી–પ/ર૦૪)

Log in or Register to save this content for later.