Chapter : નમાઝ
(Page : 472)
સવાલ : લુંગી પહેરી મસ્જિદમાં આવીને નમાઝ પઢવામાં શું કોઈ કરાહત છે ? લુંગી પહેરી નમાઝ પઢવી જાઈઝ છે કે નહિ ?
જવાબ : જે માણસ સુન્નત લિબાસ સમજીને લુંગી પહેરે અને લુંગી પહેરીને બાઈઝ્ઝત લોકો સામે જવામાં કોઈ ખચકાટ અને શરમ ન અનુભવે તેવા માણસ માટે લુંગી પહેરીને નમાઝ પઢવી વિના કરાહતે જાઈઝ છે.
અને જે માણસ લુંગીને ઘર ઉપર પહેરવાનો લિબાસ સમજે અને બહાર જાય તો લુંગીનો ઉપયોગ ન કરે અને બાઈઝ્ઝત લોકો સામે લુંગી પહેરીને જવામાં ખચકાટ અને શરમ અનુભવે તેવા માણસ માટે લુંગી પહેરીને નમાઝ પઢવી મકરૂહે તનઝીહી છે, નાજાઈઝ નથી.(શામી, ભાગ–૧/૪૩૦, ઈમ. ફતાવા, ભાગ–૧/૪ર૭)
Log in or Register to save this content for later.