[૮૮] કઅ્‌દએ અખીરહ વગર માત્ર ઉભા થઈ તુરત બેસી જવું

Chapter : નમાઝ

(Page : 133-134)

સવાલ :– ઈમામ સાહેબ ચોથી રકઅત પછી કઅ્‌દએ અખીરહ કર્યા વગર ઉભા થવા લાગ્યા અને ઉભા થવાના કરીબ થઈ ગયા, મુકતદીઓના તકબીર કહી લુકમો આપવાથી ઈમામ સાહેબ તરત જ કઅ્‌દહમાં બેસી ગયા, બેસવામાં એટલું મોડું થયું નથી કે તેઓ ત્રણવાર તસ્બીહ પઢી શકે. તો શું આ સૂરતમાં સજદએ સહ્‌વ વાજિબ થશે ?

જવાબ :– જો ઈમામ સાહેબ કઅ્‌દએ અખીરહ કર્યા વગર એ પ્રમાણે ઉભા થઈ ગયા કે તેમના બદનનો નીચેનો અડધો ભાગ સીધો થઈ ગયો એટલે ઘૂંટણમાંથી પગ સીધા થઈ ગયા, ચાહે તેમની પીઠ સીધી થઈ નથી અને એ જ હાલતમાં બેસી ગયા તો પણ સજદએ સહ્‌વ વાજિબ થશે અને જો તેઓ બદનનો નીચલો ભાગ એટલે ઘૂંટણમાંથી પગ સીધા થતાં પહેલાં જ બેસી ગયા હતા તો સજદએ સહ્‌વ વાજિબ નહિં થાય. પહેલી સૂરતમાં ફકત ઉભા થઈ જવાના કરીબ થવાને પણ ફુકહાએ કિરામે એટલી તાખીર માની છે કે જેનાથી સજદએ સહ્‌વ વાજિબ થઈ જાય છે, ચાહે સજદએ સહ્‌વ વાજિબ થવાની બીજી સૂરતોમાં ત્રણ તસ્બીહના પ્રમાણમાં તાખીર થવાને સજદએ સહ્‌વ વાજિબ થવા માટે મોઅતબર માનવામાં આવેલ છે.         (કબીરી પ૮, શામી ૧/પ૦૧)

Log in or Register to save this content for later.