[રપપ] કુરબાની અદા કરવાનો વખત

Chapter : કુરબાની

(Page : 223-224)

સવાલઃ– જે માણસ ઉપર તેનાં સ્થળે ૧૦મી ઝુલહજની સુબ્હે સાદિક તુલૂઅ થઈ ગઈ હોય, તો હવે તેની કુરબાની કયારે ઝબહ કરી શકાય?

જવાબઃ– જો તે માણસ અને તેની કુરબાની બન્‍નવ એવા નાના ગામમાં હોય કે જયાં ઈદની નમાઝ થતી નથી. તો કુરબાની સુબ્હે સાદિક થયા પછી ઝબહ કરી શકાય છે અને જો તે માણસ અને તેની કુરબાની મોટા ગામ અથવા શહેરમાં હોય તો તેની કુરબાની ઈદની નમાઝ પછી ઝબહ કરી શકાય. તેથી પહેલાં ઝબહ કરવી જાઈઝ નથી અને જો તે માણસ મોટા ગામ અથવા શહેરમાં હોય અને તેની કુરબાની નાના ગામડામાં હોય તો તેની કુરબાની સુબ્હે સાદિક પછી ઝબહ કરી શકાય છે અને જો તે માણસ નાના ગામડામાં હોય અને તેની કુરબાની મોટા ગામ અથવા શહેરમાં હોય તો તેની કુરબાની ઈદની નમાઝ પછી ઝબહ કરી શકાય, તેથી પહેલાં ઝબહ કરવી જાઈઝ નથી.             (શામી પ/ર૦ર)

Log in or Register to save this content for later.