[ર૦પ] જમાઅતે નકકી કરેલ મહેર

Chapter : નિકાહ

(Page : 245)

સવાલ :– અમારી કોમ વેપારી કોમ છે, દીનદાર પણ છે, અમો અમારું સામાજિક જીવનધોરણ સંપુર્ણપણે દીને–ઈસ્લામ ઉપર રહે તેવી કોશિશ કરતાં રહીએ છીએ, તે પ્રકારના નિયમો પૈકી એક નિયમ મહર માટે નકકી કર્યો છે કે ગરીબ કે માલદાર દરેકની દીકરી ઉમરલાયક થતાં શાદી કરી શકે એ આશયથી મહર ૧૦ ગ્રામ સોનું નકકી કરેલ છે. શું એ બાબત યાગ્ય છે?

જવાબઃ– મહરનું કમ થી કમ પ્રમાણ ૩ર ગ્રામ ચાંદી અથવા ચાલુ બજાર ભાવથી તેની કિંમત છે, એથી વધુ પ્રમાણ મહર પતિ – પત્નીની રાજી ખુશીથી નકકી કરી શકાય છે, કોઈ જમાઅત તરફથી ઝરૂરી ન ઠેરવી શકાય.

Log in or Register to save this content for later.