Chapter : નમાઝ
(Page : 469)
સવાલ : ગરમીના લઈ પસીનાથી જો સજદામાં જતી વખતે કપડું શરીર ઉપર ચોંટી જાય તો સજદામાં જતી વખતે બે હાથથી ગુંઠણ ઉપરથી ઈઝાર ખેંચે તો કંઈ વાંધો આવશે ? (મુન્શી ઈસાભાઈ સાહેબ મર્હૂમે હઝ. મુફતી મહદી હસન સાહેબ મર્હૂમને રૂબરૂ પૂછેલું તો કહયું કે કંઈ વાંધો નથી.).
જવાબ : કપડું શરીર સાથે ચોંટી જવાથી ગભરામણ થતી હોય અથવા કપડું ફાટવાનો ભય હોય તો લખવા મુજબ ઈઝાર દુરૂસ્ત કરવાથી નમાઝમાં કોઈ વાંધો નહિં આવે અને શામીમાં પણ એ પ્રકારની ચોખવટ છે અને હઝ. મુફતી મુહમ્મદ શફીઅ્ સા. (રહ.)એ પણ એવી સૂરતમાં નમાઝમાં કોઈ વાંધો ન આવવાની સ્પષ્ટતા ફરમાવી છે.
(શામી : ૧/૪૩૦, ઈમ્દાદુલ મુફ્તીન : ૩૪૧ પાક. પ્રકા.)
Log in or Register to save this content for later.