[૪૪૬] કમઝોરીના કારણે સજદહમાં હાથ બીછાવવા

Chapter : નમાઝ

(Page : 468)

સવાલ :  ઝઈફી (કમઝોરી) અને બીમારીના કારણે હાથ–પગ દુખવાથી ઈમામ અથવા મુક્‌તદી અને મુનફરિદ સજદામાં હાથ બિછાવી દે; તેનાથી સજદામાં તકલીફનાં લઈ કોણી ઊંચી ન રખાતી હોય તો નમાઝમાં કંઈ વાંધો આવશે ?                       જવાબ :  ઝઈફી (કમઝોરી) અને બીમારીના કારણે સજદાની હાલતમાં હાથ કોણી સુધી જમીન ઉપર મૂકી દેવાથી નમાઝમાં કોઈ કરાહત નહિં આવે ચાહે ઈમામ હોય કે મુક્‌તદી હોય. હાં, વગર કારણે એ પ્રમાણે હાથ બિછાવી દેવા મકરૂહે તહરીમી છે.         (કબીરીઃ૩૪૬,શામીઃ૧/૪૩૩)

Log in or Register to save this content for later.