Chapter : કુરબાની
(Page : 320)
સવાલઃ– કુરબાની કયારે વાજિબ થાય છે? એટલે કે ફિકહની ભાષામાં તેના વાજિબ થવાનો સબબ શું છે? અને તેના વાજિબ થવાની શર્તો કેટલી અને કઈ કઈ છે?
જવાબઃ– ફિકહની પરિભાષામાં કુરબાની વાજિબ થવાનો સબબ પોતાના સ્થળે કુરબાનીના દિવસોનું શરૂ થવું છે એટલે કે પોતાના સ્થળે જયારે કુરબાનીના દિવસની સુબ્હે સાદિક થાય છે ત્યારથી કુરબાની વાજિબ થાય છે અને ૧રમીના ગુરૂબે આફતાબ સુધી આ સબબ બાકી રહે છે. આથી પહેલાં કુરબાની વાજિબ થતી નથી.
કુરબાની વાજિબ થવાની અનેક શર્તો છેઃ
(૧)મુસલમાન હોવું (ર) મુકીમ હોવું. (૩)સદકએ ફિત્ર વાજિબ થાય એવા નિસાબના માલિક હોવું. (૪) આઝાદ હોવું. (પ)બાલિગ હોવુ. (૬) બુધ્ધિશાળી હોવું. (શામી પ–૧૯૮,ર૦૧, બહર–૮/૧૯૭, બદાઈઅ–૪/૧૯પ)
Log in or Register to save this content for later.