[૮પ] ફર્ઝની ત્રીજી કે ચોથી રકઅતમાં સૂરત પઢી લે

Chapter : નમાઝ

(Page : 130)

સવાલ :– નમાઝની જે રકઅતમાં ફકત સૂરએ ફાતિહા પઢવાની હોય છે તેમાં ફાતિહા સાથે સૂરત પણ પઢી લીધી તો સજદએ સહવ વાજિબ થશે કે નહિ ?

જવાબ :– જે રકઅતમાં સૂરએ ફાતિહા સાથે સૂરત વાજિબ કે પઢવી સુન્નત નથી જેમ કે ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝની પાછલી બે રકઆત અથવા મગરિબની ત્રીજી રકઅતમાં ફાતિહા પછી સૂરત પઢી લીધી તો સજદએ સહવ કરવો વાજિબ નથી, પરંતુ મજકૂર રકઅતમાં સૂરત પઢવી ખિલાફે અવ્લા અને મકરૂહે તનઝીહી છે.(‘શામી ૧/૩૦૮)

Log in or Register to save this content for later.