[૧૯૩] સસરાએ શહવત સાથે વહુનો હાથ પકડવો

Chapter : નિકાહ

(Page : 234-235)

સવાલ :– મારી છોકરીના સસરાએ બદદાનતથી છોકરીનો હાથ પકડયો તો છોકરીએ કહયું કે જો મારો હાથ છોડશો નહિ તો હું બૂમ પાડી લોકોને ભેગા કરીશ તો તેણે હાથ છોડી દીધો. હવે સવાલ એ છે કે મારી છોકરી તેના ધણી જોડે સંસાર માંડી શકે કે નહિ? અગર નહિ તો તેના ધણીએ તલાક આપવી જરૂરી છે કે વગર તલાકે ઈદ્દત ગુજારી બીજા નિકાહ કરી શકે છે? આ બાબત છોકરીનું કસમિયા બયાન મોઅતબર ગણાશે કે નહિ, ખુલાસાવાર જવાબ આપશો.

જવાબઃ– મજકૂર ઘટના વિષે શરીઅતના હુકમની વિગત આ પ્રમાણે છે કે જે છોકરીને એ વાતનો વિશ્વાસ હોય કે મારા સસરાએ બદનિય્યતી અને શહવત (શારિરીક ઉત્તેજના)ની હાલતમાં જ મારો હાથ પકડયો હતો તો તેણે પોતાના પતિથી આ વિગત રજૂ કરવી વાજિબ અને લાઝિમ છે કે તમારા પિતાએ મારી સાથે આવો ખરાબ વર્તાવ કર્યો છે અને હું તમારા માટે હરામ થઈ ગઈ છું માટે તમો મને તમારા નિકાહમાંથી છૂટી કરો, જયારે પતિ સામે આ રજૂઆત થાય અને પતિને પોતાની ઓરતની વાત સાચી લાગે તો તેના માટે વાજિબ અને લાઝિમ છે કે તુરંત જ ઓરતને પોતાના નિકાહમાંથી એમ કહી અલગ કરી દે મેં તને મારા નિકાહમાંથી મુકત કરી દીધી, અથવા હું તને તલાક આપુ છું, પતિના આ પ્રમાણે કહયા પછી ઓરત તેના નિકાહમાંથી છૂટી થઈ જશે, હવે તે પછી મજકૂર છોકરી ઈદ્દત ગુજારીને બીજા નિકાહ કરી શકે છે. જો ઓરતને તો સસરાના શારિરીક ચેતના (શહવત) સાથે હાથ પકડવાનો વિશ્વાસ હોય, પરંતુ પોતાના પતિ સામે રજૂઆત કર્યા પછી તેનો પતિ પોતાના પિતાએ મજકૂર હાથ પકડવાની વાતને અથવા શહવત સાથે હાથ પકડવાની વાતને સત્ય ન માને તો પણ ઓરત પોતાના પતિથી અલગ જ રહે અને ભારત જેવા દેશમાં ”શરઈ પંચાયત” નામી ઈસ્લામી ફેસલા કરતી સંસ્થામાં પોતાનો આ કેસ રજૂ કરી શરીઅત મુજબ ફેસલાની માંગણી કરે, ”શરઈ પંચાયત” મસાઈલને સામે રાખી આગળની કાર્યવાહી હાથ ધરશે. અને મજકૂર પતિના નિકાહમાંથી મુકત કરવા, કરાવવાની પૂરી કોશિશ કરશે, જેના માટે આ ઓરત હરામ થઈ ગઈ છે, પરંતુ નિકાહમાં બાકી છે.         (શામી – ર/ર૮૦,ર૮૩)

Log in or Register to save this content for later.