[૧૯૦] સાસુમાને પગ અડી જાય

Chapter : નિકાહ

(Page : 231-232)

સવાલઃ– એક ભાઈનું મકાન ઘણું નાનું હોવાથી ઘણા ટાઈમ પહેલાં પોતાની સાસુમાંની આમને સામને સુવાથી ભુલથી અથવા ઈરાદાપુર્વક સાસુમાંના પગમાં પગ અડી ગયા અને ત્યાર બાદ એક અવલાદ પણ છે, સાંભળ્યું છે કે સાસુમાંને અડવાથી નિકાહ તુટી જાય છે, માટે એ અવલાદ શું હરામ ગણાય ?       (સલીમ જંબુસરી, મુ. કંજરી  જિ. નડીયાદ)

જવાબઃ– જો શહવત સાથે સાસુમાંના પગને સ્પર્શયા હોય તો નિકાહ તુટી જશે, ચાહે ભુલથી સ્પર્શયા હોય કે ઈરાદા પુર્વક સ્પર્શયા હોય અને જો શહવત વિના સ્પર્શયા હોય તો નિકાહ નહીં તુટે. (શામી : ર/ ર૮ર)

Log in or Register to save this content for later.