Chapter : નિકાહ
(Page : 230-231)
સવાલઃ– હાલમાં ઉનાળો ચાલતો હોઈ ઘરના મા – બાપ, બહેનો બધા ગરમી ના લાગે તે માટે ધાબા પર સુવે છે, જયારે હું તથા મારી પત્ની તથા બાળકો નીચે ઘરમાં સુઈએ છીએ, હું જમીન પર ઓશિકુ મૂકી સૂતો હતો, પરંતુ જાગતો હતો, તેવામાં ધાબા ઉપરથી મારી બહેન નીચે પાણી પીવા માટે આવી, હું જયાં સુતો હતો તે માથા આગળથી પસાર થઈ, મેં તેને જોઈ નહીં પણ, હું મારી પત્ની છે એમ જાણી મેં તેને ચીમટી (ચૂંટી) પગ પર ભરી તથા પાયજામો ખેચ્યો, પછી ખબર પડી કે આતો મારી બહેન છે, હું એવું માન્યો કે મારી પત્ની પસાર થઈ રહી છે, તે વખતે રાત્રીના ૧૦ વાગ્યા હશે, રોજ બરોજ હું મારી પત્ની સાથે આવી રીતે મસ્તી કરતો હોવું છું, પરંતુ આ વખતે અજાણતામાં મારી બહેન સાથે વ્યવહાર (ચીમટી ભરવાનો) થઈ ગયો, તો મુફતી સાહેબ હું ઊંઘી નથી શકતો ખૂબ જ ટેન્શન રહે છે કે મારાથી ઈસ્લામી શરીઅતથી વિરૂધ્ધ કોઈ ગુનો તો નથી થઈ ગયો ને? મારા બહેન પણ શાદી શુદહ છે, તેને પણ બે છોકરા છે, તો જનાબ મુફતી સાહેબ આવો બદ વ્યવહાર જે અજાણમાં થયો તેનાથી ઈસ્લામી કાનૂન પ્રમાણે મારા તથા મારી બહેનના નિકાહ ઉપર કોઈ નુકસાન થાય ખરું ? પતિ – પત્નીના શરીઅતી મામલામાં નિકાહમાં કોઈ મારા તથા મારી બહેનને કોઈ મુશ્કેલી ઉભી થાય ખરી? જે અંગેનો મને જવાબ જલ્દીથી આપવા આજીઝાના ગુઝારીશ છે.
જવાબઃ– આપનુ મજકૂર કૃત્ય એહતિયાત વિરૂધ્ધ છે, બહેન સાથે પત્ની જેવો વ્યવહાર અને શહવતી કૃત્ય સ્પર્શ, ચૂંબન વગેરે કરવું એ સદંતર હરામ અને નાજાઈઝ છે, પરંતુ પુછેલી સૂરતમાં આવા કૃત્યથી તમારા કે તમારી બહેનના નિકાહમાં કોઈ ખરાબી અને નુકસાન પેદા નહિ થાય. હવે પછી આવા કૃત્યથી તવબહ ઈસ્તિગફાર કરવા જોઈએ અને ભવિષ્યમાં કાળજી પૂર્વક અને સાવચેતીપૂર્ણ જીવન ગુઝારવું જોઈએ. (શામી : ર / ર૭૯)
Log in or Register to save this content for later.