Chapter : નમાઝ
(Page : 129-130)
સવાલ :– નમાઝમાં સૂરત પઢવાનું ભૂલી જઈએ તો સજદએ સહવ વાજિબ છે કે નહિ ?
જવાબ :– ફર્ઝ નમાઝની પહેલી બે રકઆતોમાં સૂરએ ફાતિહા બાદ કોઈ સૂરત કે તેની કમથી કમ ત્રણ આયતો પઢવી વાજિબ છે. જો પહેલી બે રકઆતમાં અથવા એક રકઅતમાં સૂરત પઢવાનું ભૂલી જઈએ તો પાછલી રકઆતમાં સૂરત પઢી લેવી જોઈએ અને સજદએ સહવ કરવો વાજિબ છે, કારણ કે સૂરતને તેની અસલ જગ્યાએ એટલે પહેલી બે રકઆતોમાં પઢવી વાજિબ છે તે વાજિબ છૂટી ગયો છે. (‘શામી ૧/૩પ૯,૪૯૮)
Log in or Register to save this content for later.