[૧૭૩] નિકાહવાળી ઓરતના નિકાહ બીજા સાથે હરામ છે

Chapter : નિકાહ

(Page : 216-217)

સવાલઃ– અત્રે એક નિકાહ ખ્વાની થઈ છે તે બાઈના પહેલા પણ નિકાહ થયેલ હતા, પહેલા ખાવિંદ પાસેથી તલાક નામુ કે ફારગતી થઈ નથી અને બીજા નિકાહ પઢાવી આપ્યા છે તો શું પૂછેલી હાલતમાં બીજા નિકાહ થયેલ ગણાશે અને શું તે સહીહ છે? એમાં નિકાહ પઢાવનાર, વકીલ, શાહિદો અને છોકરીના માં–બાપ ગુનેહગાર ગણાશે ? અને કયા પ્રકારનો ગુનોહ લાગુ પડશે ? અને ઉપરોકત ઈસમોને ત્યાંનું ખાવું – પીવું જાઈઝ છે કે કંઈ વાંધો ખરો?

જવાબ :– એક વખત નિકાહ કરી ચુકેલ ઓરતના નિકાહ તેના પતિની વફાત સિવાય અથવા તેના તલાક આપ્યા સિવાય બીજા પુરૂષથી કરવા હરામ છે, એ પ્રમાણેના ઓરતના બીજા નિકાહ હલાલ અને દુરસ્ત નહીં ગણાય અને મજકૂર ઓરત બીજા પુરુષની પત્ની નહીં બને, તેના માટે પરાઈ ઓરત તરીકે જ રહેશે, તેણે તુરત આ ઓરતથી સંબંધો તોડી નાખવા જોઈએ, નહીં તો બન્‍ને ગુનેહગાર થતા રહેશે અને બદકારીમાં સંડોવાયેલા રહેશે.

                છોકરીના મા–બાપે જો આ નિકાહની તૈયારીઓ કરી હતી, ઓરતે આપ મેળે નિકાહ નથી કર્યા તો તેઓ ખરેખર ગુનેહગાર ગણાશે અને નિકાહ પઢાવનાર, વકીલ અને શાહિદોએ જો આગલા નિકાહની જાણ હોવા છતાં બીજા નિકાહમાં ભાગ લીધો છે, તો તેઓ પણ ગુનેહગાર ગણાશે, આ બધી જ વ્યકિતઓએ ઓરત અને બીજા મર્દને ભારપૂર્વક કહી આપવું જોઈએ કે તમારા નિકાહ થયા નથી, માટે તમો પતિ – પત્ની તરીકે રહેશો નહીં અને દરેકે પોતે તવબહ ઈસ્તિગ્ફાર પણ કરવું જોઈએ, જો તેઓ આ પ્રમાણે ઈરાદા પૂર્વક કરેલી ભૂલની તલાફીનો પ્રયાસ ન કરે તો તેમનાથી ખાવા – પીવાનો સંબંધ તોડવો જાઈઝ છે, જરૂરી નથી અને તેઓના ઘરનું ખાવાનું હરામ પણ નથી.      (શામી–ર)

Log in or Register to save this content for later.