Chapter : કુરબાની
(Page : 311-312)
સવાલઃ– બે ભાઈ છે, બંને ભેગા રહે છે, જેમાંથી એક ભાઈનો ઈન્તિકાલ થઈ ગયો છે, પરંતુ તેની અવલાદ છે. હયાત ભાઈના હાથમાં બધો કારોબાર છે અને મર્હૂમ ભાઈની અવલાદની કમાઈ બીજા ભાઈ પાસે રહે છે અને તેમની સરપરસ્તીમાં ઘરનો બધો કારોબાર ચાલે છે. તો પૂછવાનું એ કે શું કુરબાની ફકત જેમના હાથમાં કારોબાર છે તેમના ઉપર જ વાજિબ છે કે બીજા મર્હૂમભાઈની અવલાદ ઉપર પણ વાજિબ થશે? બીજું કે મર્હૂમ ભાઈની ઔરત હયાત છે અને તે પણ બીજા ભાઈની દેખરેખ હેઠળ જ રહે છે તો તેમના ઉપર પણ કુરબાની વાજિબ થશે કે નહિ?
જવાબ :– બંને ભાઈઓની સંયુકત મિલકતમાંથી મર્હૂમભાઈની બાલિગ અવલાદમાંથી જેના ભાગે કુરબાનીના નિસાબમાં ગણવાપાત્ર જે માલ – મિલકત આવે તે અને દરેકની અંગત માલિકીમાં કુરબાનીના નિસાબમાં ગણવાપાત્ર (સોનું, ચાંદી, રોકડ રકમ, વેપારનો માલ અને જરૂરતથી વધારાના કપડાં, વાંસણો, ઘરો, ગભાણો, ફર્નિચર વગેરે) જે માલ–મિલકત હોય તે બધું મળીને જો નિસાબના પ્રમાણમાં હોય તો મર્હૂમની અવલાદમાંથી એવી દરેક બાલિગ વ્યકિતએ પોતાની કુરબાની કરવી વાજિબ છે જે ઉપરોકત વિગત મુજબ શરઈ દ્રષ્ટિએ માલદાર સાબિત થતી હોય.
મર્હૂમની ઔરત જો ઉપરની વિગત મુજબ મર્હૂમે છોડેલી વારસદારોની સંયુકત મિલકતમાંથી પોતાના ભાગે આવતી કુરબાનીના નિસાબમાં ગણનાપાત્ર મિલકત અને કુરબાનીના નિસાબમાં ગણનાપાત્ર હોય એવી પોતાની અંગત માલ–મિલકતથી શરઈ દ્રષ્ટિએ માલદાર સાબિત થાય તો તેઓના ઉપર પણ પોતાની વાજિબ કુરબાની કરવી વાજિબ છે, ઉકત તફસીલથી માલૂમ પડયું કે ફકત હયાત ભાઈની પોતાની કુરબાની મર્હૂમ ભાઈની બાલિગ માલદાર અવલાદ માટે અને ઔરત માટે પૂરતી નથી. અલબત્ત, મર્હૂમની નાબાલિગ અવલાદ ઉપર ચાહે ઉપરોકત વિગત મુજબ તેઓ માલદાર સાબિત થાય કે ન થાય કુરબાની કરવી વાજિબ નથી. (શામી ભા.પ)
Log in or Register to save this content for later.