Chapter : નિકાહ
(Page : 210-211)
સવાલઃ– એક મુસ્લિમ મર્દે એક એવી ઓરત સાથે શાદી કરી હતી કે શાદી કર્યાના બે ત્રણ મહીના પછી ખબર પડી કે ઓરતને પરાયા મર્દનો હમલ છે, કેમકે શાદી કર્યાના છ મહીનાથી પહેલાં ઓરતે બાળકને જન્મ આપ્યો છે, તો પૂછવાનું એ કે શું પરાયા મર્દનો ઓરતને હમલ હોય એવી હામિલા ઓરત સાથે શાદી કરવાથી શરઈ એઅતેબારથી શાદી થઈ શકે છે? મજકૂર શાદીનો શું મસઅલો છે? બીજું કે આ ઓરતથી પેદા થયેલ બાળકનો વાલી–બાપ કોણ ગણાશે ? ઓરતનો ધણી પેદા થયેલ બાળકને કબૂલ ન કરે તો ગુનેહગાર થશે કે નહિ ? બીજું કે લાંબી મુદ્દત સુધી ધણી ધણીયાણી સાથે રહેવાથી મજકૂર બાળકના પછી પણ ઓરતે બીજા ઘણા બાળકોને જન્મ આપ્યા છે તેમનો શું મસઅલો છે ?
જવાબઃ– પૂછેલી સૂરતમાં હમલવાળી ઓરત સાથે થયેલા નિકાહ સહીહ અને દુરસ્ત ગણાશે, અલબત્ત નિકાહ પછી છ મહિના પહેલાં જન્મેલું બાળક પતિનું નહિ ગણાય અને પતિ તેનો વાલી નહિ ગણાય અને નિકાહના છ મહીનાઓ પછીથી અત્યાર સુધી જન્મેલા બાળકો પતિના ગણાશે અને તેની જાઈઝ અવલાદ ગણાશે. મજકૂર પહેલા બાળકને પતિ કબૂલ નહિ કરે તો તે ગુનેહગાર નહિ ગણાય તે બાળકની જવાબદારી તેની માતાની ગણાશે. (શામી : ર૯૧ / ભા.ર)
Log in or Register to save this content for later.