Chapter : કુરબાની
(Page : 308-309)
સવાલઃ– એક માણસ ઈંગ્લેન્ડમાં રહે છે, ત્યાં કુરબાની માટે જાનવર ખરીદ કરે તો ૪૦૦ થી પ૦૦ પાઉન્ડ થાય છે, જે ઈન્ડિયાના લગભગ સાત થી આઠ હજાર રૂપિયા થાય છે અને ઈન્ડિયામાં જાનવર ખરીદે તો ૭૦૦ થી ૮૦૦માં જાનવર મળી શકે છે, તો તે માણસ ઈંગ્લેન્ડમાં વધુ કિંમત ખર્ચવાના બદલે ઈન્ડિયામાં સસ્તુ જાનવર મળે એ હેતુથી અહિંઆથી જાનવર ખરીદ કરી કુરબાની કરે તો શું હુકમ છે?
જવાબઃ– માલદાર માણસ ઉપર કુરબાની માટે કુરબાની લાયક નાનું જાનવર બકરૂં, ઘેટું કે મોટા જાનવરનો સાતમો ભાગ વાજિબ થાય છે અને એના વાજિબ થવામાં સ્થાનિક કિંમતનું કોઈ પ્રમાણ શર્ત નથી ગમે ત્યાંથી ગમે તેટલી કિંમતમાં ખરીદી કુરબાની કરે તો દુરસ્ત છે. અહિયાં સુધી કે કોઈએ કુરબાની લાયક જાનવર ભેટ આપ્યું અને તેની કુરબાની કરી તો પણ દુરસ્ત છે. હાંલાકે જાનવરની ખરીદારી માટે એક પૈસો પણ આપવો પડયો નથી.
માટે ઈંગ્લેન્ડનો રહેવાસી અહિંઆ કોઈને કુરબાની ખરીદવા અને કરવા વિષે વકાલતની શર્તો મુજબ વકીલ બનાવે અથવા પોતે અહિંઆ આવી કુરબાની કરે તો તેની કુરબાની વિના શંકાએ દુરસ્ત થઈ જશે. (શામી –પ/૧૯૯, બદાઈઅ –પ/૭૭)
Log in or Register to save this content for later.