[૧૬ર] સુન્નીો મર્દના શીઅહ ઓરત સાથે નિકાહ

Chapter : નિકાહ

(Page : 198-199-200-201-202-203-204-205-206-207)

સવાલઃ– એક સુન્‍ની મુસલમાનના એક શીઅહ છોકરી સાથે નિકાહ થયેલ છે, છોકરી પોતાના (તેના) કહેવા પ્રમાણે કલિમએ તવહીદનો ઈકરાર કરે છે, શેખૈન (રહ.) ઉપર લાનતાન કરતી નથી, હઝરત આઈશહ (રદિ.) ઉપર તોહમત લગાવતી નથી, હઝરત અલી (રદિ.)ને ખુદા માનતી નથી, પરંતુ તેમના વસીલાથી દુઆ કરે છે, આ સાથે સુન્‍નીયતને સ્વીકારવાનો ઈનકાર પણ કરે છે. વધુમાં જણાવ્વાનું કે શાદી પહેલાં એક મુફતી સાહેબને આ વિષે મસ્અલો પૂછયો હતો, તો તેમને આવી ઓરત સાથે નિકાહને જાઈઝ હોવાનો ફતવો આપ્યો હતો, આ જવાબના આધારે મેં આ ઓરત સાથે નિકાહ કરી લીધા છે, નિકાહ પછી મજકૂર મુફતી સાહેબે લેખિત પણ જવાબ આપ્યો છે. જે આ સવાલની સાથે જ છે.

                બીજું કે આ છોકરીની બહેન પણ એક સુન્‍નીના નિકાહમાં છે અને હાલ આ છોકરી ભલે સુન્‍નીયતને સ્વીકારવાનો ઈનકાર કરે છે, પરંતુ બાદમાં સુન્‍નીયતને સ્વીકારવાની પૂરી શકયતા છે, હવે સવાલ એ છે કે મજકૂર નિકાહ શરીઅત પ્રમાણે સહીહ છે કે નહીં?

                શાદી પહેલા એક મુફતી સાહેબને આ વિષે મસ્અલો પૂછયો હતો, તેમના મૌખિક જવાબ તથા નિકાહ પછીના લૈખિત જવાબની ઝેરોક્ષની કોપી નીચે પ્રમાણે છે.

સવાલ : નીચે જણાવેલ શીઅહ મઝહબી ઓરત સાથે નિકાહ કરવા બાબતે શરઈ હુકમ જાણવાની જરૂર ઉભી થયેલ છે, જેથી શરઈ હુકમ મુજબ  મા’કૂલ જવાબ આપશોજી.

                                એક સુન્‍ની વ્યકિત શીઅહ ઓરત સાથે નિકાહ કરવા ઈચ્છે છે અને અકીદાની રૂએ નીચે જણાવેલ મુદ્દાઓ ઉપર સહમત છે અને ભૂતકાળમાં પણ સહમત હતી.

                                (૧) શિર્ક કરતી નથી. (ર)”લાઈલાહ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્રસૂલુલ્લાહ’ કલિમો પઢેલ છે, સમજેલ છે અને તેનો ઈકરાર કરેલ છે. (૩) ખુદાના એક હોવાને માનવું તથા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ખુદાના રસૂલ હોવાને માને તથા તેનો ઈકરાર કરેલ છે, (૪) હઝરત ઉમર (રદિ.) કે અન્ય સહાબાઓ ઉપર લા’નત કરતી નથી તથા ભૂતકાળમાં પણ લા’નત કરેલ નથી.(પ)આઈશહ સિદ્દીકહ (રદિ.) ઉપરની ખોટી તોહમતનો ઈનકાર કરેલ છે, ભવિષ્યમાં પણ ખોટી તોહમતનો ઈનકાર રહેશે. (૬) હઝરત અલી (રદિ.)ને ખુદા જેટલો મરતબો આપતી નથી. ફકત તેમના વસીલાથી દુઆ ગુઝારે છે,(૭) ઉપરોકત તમામ જણાવેલ મુદ્દાઓ ઉપર સહમત છે અને તેનો ઈકરાર કરેલ છે, પરંતુ સુન્‍ની થવાનો ઈનકાર કરેલ છે.

                                ઉપરોકત જણાવેલ અકીદાવાળી શીઅહ ઓરત સાથે નિકાહ થઈ શકે છે કે નહીં ? તેણી આપણા માહોલમાં આવ્યા પછી સુન્‍ની થવાની ઘણી શકયતાઓ છે, તથા તેણીથી થયેલ અવલાદ સુન્‍ની રહેશે તે બાબતે તે ઓરત સંમંત છે, તેણીને શીઅહ મુજબની ઈબાદતથી રોકી શકાય કે નહીં?

                                ઉપરોકત જણાવેલ અકીદાવાળી શીઅહ ઓરતથી નિકાહ થઈ શકે કે નહિ ? આ બાબતે શરઈ હુકમ મુજબ વઝાહતથી જવાબ આપશોજી.

જવાબઃ  સુન્‍ની વ્યકિતના નિકાહ શીઅહ ઓરત સાથે જાઈઝ છે. ખાસ કરી ઉપર જણાવેલ વિગત હોઈ, કોઈ પણ પ્રકારનો વાંધો નથી.

                                ઉપરોકત સવાલ તથા જવાબ બરાબર છે, શીઅહ ઓરતની આજ દિન સુધી કોઈએ તકફીર કરી નથી, આ જ કારણસર તેઓને હજની છૂટ પણ આપવામાં આવે છે, અન્ય એ ફિરકાઓ જેમકે અહમદી જેઓની તકફીર કરવામાં આવી છે, તેઓ સાથે નિકાહ જાઈઝ નથી, સુન્‍ની મર્દના નિકાહ શીઅહ ઓરત સાથે જાઈઝ છે અને સુન્‍ની ઓરતના શીઅહ મર્દ સાથે ઉલમાએ મના લખ્યા છે અને આશા પણ રાખી શકાય કે શીઅહ ઓરત જયારે ઉપરોકત અકીદહ ધરાવે છે, જે સુન્‍નીઓના અકીદા છે, તો એનું સંપૂર્ણ સુન્‍નીયતને સ્વીકારી લેવું સરળ થઈ જશે અને કેવળ સમજાવવું મર્દના ઝિમ્મે છે જે હિકમતથી કરવું. અલ્લાહ પાક તવફીક અર્પણ ફરમાવે – આમીન

જવાબઃ– શીઅહ ફિર્કહના અકીદાઓ તેઓની વિશ્વાસપાત્ર કિતાબોમાં જે પ્રમાણે લખવામાં આવ્યા છે, તેમાંથી ઘણા અકીદાઓ કુફ્રિયહ અને શિર્કિયહ છે, જેમકે (૧) ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયથી હાલ સુધી પ્રચલિત કુર્આને કરીમનું ફેરફારવાળું અને અધૂરું હોવું, (ર) હઝરત અલી (રદિ.)નું ખુદાઈમાં શરીક હોવું (૩) હઝરત જિબ્રઈલ (અલૈ.)નું વહી પહોંચાડવામાં ગલતી કરવું (૪) હઝરત અબૂ બક્ર (રદિ.)ના સહાબી હોવાનો ઈનકાર અને શૈખેન તથા બીજા અનેક સહાબએ કિરામ (રદિ.)ને (મઆઝલ્લાહ) કાફિર અને મુનાફિક કહેવું (પ) હઝરત આઈશહ સિદ્દીકહ (રદિ.) પર ઝિનાનો આક્ષેપ કરવો (૬) અલ્લાહ તઆલાના પાક અને પુખ્ત ઈલ્મમાં ગલતીનું શકય હોવું અને થવું.

(શામી ભા. ૪ / અહ. ફતાવા ૮૧ ભા. ૧)

                શીઅહ ફિર્કહના મજકૂર અકીદાઓની બુનિયાદ પર હિંદ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મહાન ઉલમાએ કિરામ અને મુફતિયાને ઈઝામે આવા અકીદાઓ ધરાવતા શીઅહ ફિર્કહ વિશે સર્વાનુમતે તેના કાફિર હોવાનો ફતવો અને ફેસલો આપ્યો છે અને મજકૂર ફતવા અને ફેસલાથી પહેલાં, તેનાથી ભૂતકાળમાં પણ આવો કુફ્રિયહ અકીદાઓ રાખનાર શીઅહ લોકોના કાફિર હોવાના ફતવા અને ફેસલાનું વર્ણન ફિકહની કિતાબોમાં મવજૂદ છે, મજકૂર ફતવા અને ફેસલાની વિગત માટે ”ખુમૈની ઓરત ઈસ્ના અશરિય્યહ કે બારેમેં ઉલમાએ કિરામકા મુત્તફકહ ફેસલહ” નામી કિતાબનો અભ્યાસ કરવામાં આવે, જે બે ભાગોમાં પ્રગટ થઈ ચૂકી છે.

                જો કોઈ શીઅહ ઓરત મજકૂર કુફ્રિયહ અકીદાઓ ધરાવતી  હોય તો તે કાફિર છે અને તેની સાથે સુન્‍ની મર્દના નિકાહ બાબત ઉલમાએ કિરામના મતભેદ છે.

                હઝરત મવલાના રશીદ અહમદ સાહેબ (દા.બ.) લુધયાનવીએ પોતાની પ્રથમ તહકીક મુજબ આવી ઓરતેને ઈસાઈ અને યહૂદીની જેમ અહલે  કિતાબ ગણી તેની સાથે સુન્‍ની મર્દના નિકાહને દુરસ્ત અને સહીહ લખ્યા હતા, માટે તેઓએ પોતાના ફતવાની કિતાબ અહસનુલ ફતાવા ભા.૧ની ચોથી  આવૃત્તિ (સન. હિ. ૧૪૦૮)માં લખ્યું હતું કે ”બાકી રહા યહ સવાલ કે યહ લોગ અહલે કિતાબ હેં યા નહીં, સો ઉસકા જવાબ યહ હે કે ઉન પર અહલે કિતાબ કી તા’રીફ (વ્યખ્યા) સાદિક આતી હે”    (અહ. ફતાવા : ૮૮ ભા.૧)

                આગળ એ જ આવૃત્તિમાં પેજ નં.૮૯ પર લખે છે કે ”અહલે કિતાબ હોને કી વજહ સે શીઅહ ઓરત કે સાથ અગર યે નિકાહ સહીહ તો હો જાએગા, મગર ચૂંકે ઉનમેં નિકાહ કરને સે ઔર ઉનકે સાથ તઅલ્લુક રખને સે દીનમેં ફિત્નોંકા સખ્ત ખતરા હે. ઈસ લિયે શીઅહ ઓરત કે સાથ નિકાહ ઔર ઉનકે સાથ તઅલ્લુકાત રખના જાઈઝ  નહીં.                                                                                                                                                      (અહ. ફતાવા ૮૯ ભા.૧ આવૃત્તિ ૪)

                પાછળથી હઝરત મવલાના મુફતી રશીદ અહમદ સાહેબ (રહ.) એ મજકૂર અકીદાઓ ધરાવનાર શીઅહ વિશે પોતાની તહકીક બદલાતા તેઓના અહલે કિતાબ હોવાનો ઈન્કાર કર્યો છે, તેઓને ઝિન્‌દીક ઠરાવી, તેઓની સાથે સુન્‍ની મર્દ – ઓરતના નિકાહને હરામ ઠરાવ્યા છે, માટે અહસનુલ ફતાવા ભા. ૧ ની છઠઠી આવૃત્તિ (સન હિ. ૧૪૧૩) માં ”કયા શીઅહ અહલે કિતાબ હે?” ના શિર્ષક હેઠળ લખે છે કે ”મોઅતઝિલહ કે બારે મેં તહરીરે શામિય્યહ કી બિના પર શીઅહ કો અહલે કિતાબ કહતા થા, બાદમેં તનબ્બુહ હુવા, યહ લોગ ઝિન્‌દીક હેં, ઈસ લિયે ઉનહેં અહલે કિતાબમેં દાખિલ કરના સહીહ નહીં.     (અહસનુલ ફતાવા ૮૮ ભા. ૧ આવૃત્તિ – ૬)

                આગળ ચાલી છઠઠી આવૃત્તિના પેજ નં ૮૯ પર ઝિન્‌દીકના અહકામ વર્ણન કરતાં લખે છે ”(૩) ઉનસે નિકાહ કરના હરામ  હે, (૪) ઉનકા ઝબીહા હરામ હે.

                હઝરત મવલાના મુફતી સય્યિદ અબ્દુર્રહીમ લાજપૂરી (રહ.) શીઅહ ઓરત સાથે નિકાહ કરવા બાબત લખે છે કે ” (ર)અગર લળકી અપને અકાઈદે બાતિલહ કી બિના પર કાફિરહ હોગી તો ઉસસે નિકાહ કરના હરામ હે, ઔર હરામ કો હલાલ સમજનેવાલા ઈસ્લામ સે ખારિજ હો જાતા હે.   (ફ. રહીમિય્યહ : ૧૩૬ ભા. ૩)

                હઝરત મવલાના મુફતી કિફાયતુલલ્લાહ સાહેબ (રહ.) મજકૂર અકીદાઓ ધરાવતી શીઅહ છોકરીને અહલે કિતાબમાંથી ઠરાવી, તેની સાથે સુન્‍ની મર્દના નિકાહને જાઈઝ અને સહીહ ઠરાવે છે.

                કિ. મુફતી ભા.પ પેજ નં. ર૦૩ પર એક જવાબમાં તેઓ લખે છે ”શીઅહ જો ગાલી હેં, યા’ની ઐસે એઅતેકાદ રખતે હેં જિનસે કુફ્ર લાઝિમ આ જાતા હે, તો ઉનકે સાથ મુનાકહત કી એક સૂરત જાઈઝ હે કે લળકા સુન્‍ની હો ઓર લળકી શીઅહ હો.

    પેજ નં. ર૦૬ ઉપર આ પ્રમાણે સવાલ જવાબ છે.

સવાલઃ– ઝૈદ કા મઝહબ હે કે હઝરત અબૂ બક્ર (રદિ.) ઓર હઝરત ઉમર (રદિ.) ઓર હઝરત ઉસ્માન (રદિ.) વગૈરહ યે તમામ કાફિર થે, નઅઉઝુબિલ્લાહ ઔર મુનાફિક થે, ઔર ઉસકા અકીદહ તમામ અહલે શીઅહ કા હે, ઉસકે સાથ અહલે સુન્‍નત ઓરતકા નિકાહ હો સકતા હે, યા નહીં ? ઉસકી લળકી યા લળકા બાલિગ હો યા ગેર બાલિગ.

જવાબઃ – જિસ શખ્સ કા યે અકીદહ હો ઉસકે સાથ સુન્‍ની લળકી કા નિકાહ નહીં હો સકતા, હાં ઉસકી લળકીસે સુન્‍ની મર્દ નિકાહ કર સકતા હે, લેકિન ઐસે ગાલી શીઓં કે સાથ તઅલ્લુકાતે મુનાકહત રખના મસલિહત નહીં હે.

                પેજ નં. રરર પર એક જવાબ માં લખે છે (૭) શીઅહ મેં ગાલી તબર્રાઈ હેં, ઉનકા હુકમ અહલે કિતાબકા હે કે શીઅહ ઓરત સે સુન્‍ની મર્દકા નિકાહ જાઈઝ હે, મગર સુન્‍ની ઓરતકા નિકાહ શીઅહ મર્દ સે જાઈઝ નહીં.

                પેજ નં. રર૪ પર એક જવાબમાં લખે છે કે ગાલી શીઓં ઔર સુન્‍ની શીઓંમેં મુનાકહત ફસાદ પર મુનતિજ હોતી હે, નીઝ અગર લળકી સુન્‍નિયહ ઔર લળકા ગાલી શીઅહ હો તો નિકાહ દુરસ્ત નહિ હોતા, હાં લળકા સુન્‍ની ઔર લળકી શીઅહ હો તો નિકાહ મુનઅકિદ હો જાતા હે.

                ગાલી શીઅહ છોકરી સાથે સુન્‍ની મર્દના નિકાહ બાબત આ જ પ્રમાણેનો જવાબ કિ.મુફતી ભા. ૧ પેજ ર૭૬, ર૭૮, ર૮૩ પર મવજૂદ છે.

                                જો શીઅહ ઓરત મજકૂર કુફ્રિયહ અકીદાઓ ન ધરાવતી હોય અને તેનું વાણી વર્તન કુફ્રની હદ સુધી ન પહોંચેલુ હોય એટલે કે કુર્આન પાકમાં ફેરફાર અને ઘટાડો ન માનતી હોય, અલ્લાહ તઆલાના ઈલ્મમાં ગલતીની શકયતા અને વજૂદ ન માને, હઝરત અલી (રદિ.)ને ખુદાઈમાં શરીક ન માને, હઝરત જિબ્રઈલ(અલૈ.)ને વહીમાં ગલતી કરનાર ન માને. હઝરત અબૂ બક્ર (રદિ.)ના સહાબી હોવાનો ઈનકાર ન કરે, હઝરત આઈશા (રદિ.) પર ઝિનાનો આક્ષેપ ન કરે, સહાબા (રદિ.)ને કાફિર – મુનાફિક ન માને, અલબત્ત વાણી વર્તનથી તેનું ફાસિક હોવું સાબિત હોય, જેમકે હઝરત અલી (રદિ.) ને બીજા ખુલફાએ રાશિદીન (રદિ.)થી અફઝલ કહેતી હોય, સહાબએ કિરામ (રદિ.)ની શાનમાં અપમાન જનક શબ્દો ઉચ્ચારતી હોય તો ભલે તે શીઅહ ફિર્કહમાં શામેલ હોય, ફાસિક ગણાશે, પરંતુ તે કાફિર નહીં ગણાય અને આવી ઓરત સાથે સુન્‍ની મર્દના નિકાહ કરવાનો હુકમ આ છે કે ઘણી દીની અને દુન્યવી મસલિહતોના આધારે એહતિયાત યુકત, કરાહત મુકત અને બેહતર વાત આ છે કે આવી ઓરત જયાં સુધી પોતાના શીઅહ મસલકથી તવબહ કરી સુન્‍ની ન બને ત્યાં સુધી તેની સાથે નિકાહ ન કરવા જોઈએ, પરંતુ જો કોઈ સુન્‍ની મર્દે ઉદાર વિચાર સરણીવાળી શીઅહ ઓરત સાથે નિકાહ કરી લીધા તો તે સહીહ અને મોઅતબર ગણાશે અને બન્‍ને શરઈ દ્રષ્ટિએ પતિ – પત્ની ગણાશે અને પતિ – પત્નિ તરીકેનું લગ્ન જીવન ગુઝારવું બન્‍નેના માટે જાઈઝ ગણાશે, પરંતુ જો તેનાથી પોતાને અથવા પોતાની અવલાદ અને રિશ્તેદારોને દીની નુકસાન થવાનો ભય હોય તો બેહતર આ છે કે તેને તલાક આપી તેની સાથેનો સંબંધ ખતમ કરી દેવો જોઈએ અને પોતાના અને પોતાના રિશ્તેદારોના દીનનું રક્ષણ કરવું જોઈએ.

                હઝરત મવલાના મુફતી અઝીઝુર્રહમાન સાહેબ (રહ.) લખે છે કે ”ફિર્કએ શીઅહ તફઝીલિય્યહ જો તબર્રાગો ન હો, વહ ફિર્કએ કાફિર નહીં હે, અગરચે અહલે સુન્‍નત વલ જમાઅત મેં દાખિલ નહીં હે, મુનાકહત ઉસકી અહલે સુન્‍નત વલ જમાઅત કે સાથ દુરસ્ત હે, ઉનકે કુફ્ર મે ઈખ્તિલાફ હે, બહર હાલ એહતિયાત ઈસમેં હે કે ઉસ ઓરત કો સુન્‍નિયહ કરકે ફિર નિકાહ કિયા જાએ; કયૂં કે કાફિરહ ઓરત કા નિકાહ મુસલમાન સુન્‍નીસે નહીં હોતા”                  (રપ૦  ભા. ૭)

                હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) લખે છે કે ”અગર યે ઓરત કિસી ઐસી બાતકા અકીદહ નહીં રખતી હો જો સરાહતન કુર્આન ઔર કતઈય્યાતે ઈસ્લામ કે ખિલાફ હો તો નિકાહ દુરુસ્ત વ સહીહ હો ગયા.”                                                                                                                    (ઈ. મુફતીન પ૦૪)

                હઝરત મવલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.) લખે છે કે ”ચૂં કે શીઓંમેં તકિય્યહકા મસ્‍અલા શાઈઅ ઔર  મઅમૂલ હે ઈસ લિયે યે બાત મઅલૂમ કરની મુશકિલ હે કે ફુલાં શીઅહ કિસમે અવ્વલમેં સે (ગેર કાફિર – મુસલમાન) હે, યા કિસમેં દોમમેં સે (કાફિર), ઈસ લિયે લાઝિમ હે કે શીઓં કે સાથ મુનાકહત કા તઅલ્લુક ન રખ્ખા જાએ, શીઅહ લળકી કે સાથ સુન્‍ની મર્દકા નિકાહ દુરસ્ત હે, લેકિન યે તઅલ્લુક પેદા કરના અકસર હાલાતમેં મુઝિર હોતા હે, ઈસ લિયે ઈજતિનાબ અવ્લા હે”.          (કિ. મુફતીઃપ/ ર૦૪)

                એક બીજા જવાબમાં લખે છે કે”શીઅહ લળકી કા નિકાહ અહલે સુન્‍નત મર્દ સે જાઈઝ હે, અગરચે મુનાસિબ ઔર બેહતર નહીં હે, સુન્‍ની ઓરતકા નિકાહ શીઅહ મર્દ સે જાઈઝ નહીં.         (કિ.મુફતી પ/ર૦૯)

                હઝરત મવલાના મુફતી સય્યિદ અ.ર્રહીમ લાજપૂરી (રહ.) ગેર કાફિરહ શીઅહ ઓરતના સાથે નિકાહ બાબત લખે છે ”(૩)અગર લળકી કે અકાઈદ હદ્દે કુફ્ર તક નહીં પહોંચે હૈ તો (નિકાહ) જાઈઝ હે, મઅલ્‌ કરાહિય્યત, લેકિન  શરઈ મસલિહત કી બિના પર ઈસકી ઈજાઝત ન હોગી.”            (ફ. રહીમિય્યહઃ૩/૧૩૬)

                હઝરત મુફતી રશીદ અહમદ લુધયાનવી સાહેબ (રહ.) લખે છે કે (૧) બહૂત સે ઉલમા શીઅહ કો અહલે કિતાબ શુમાર નહીં કરતે, ઉનકી રાય કે મુતાબિક મુસલમાન મર્દ પર શીઅહ ઓરત હરામ હે, ચૂંકે યહ કોલ અહવત હે. ઈસ લિયે નિકાહ જેસે અહમ મુઆમલહ મેં ઈસ પર અમલ લાઝિમ હે.     (અલ. ફતાવા ૯૦ ભા. પ)

                હિંદો પાકના મહાન મુફતિયાને કિરામના ઉકત ફતવાઓથી માલૂમ પડયું કે આવી ગેર કાફિરહ, મુસ્લિમ શીઅહ ઓરતથી પણ તેને સુન્‍નિયહ બનાવતા પહેલાં નિકાહ ન કરવા જોઈતા હતા, પરંતુ જયારે મજકૂર શીઅહ ઓરત ગાલી (કુફ્રિયહ અકીદાઓ ધરાવનાર) અને તબરાઈ (સહાબએ કિરામ (રદિ.)ને સબ્બો શત્મ, ગાળી ગલોચ કરનાર) પ્રકારની શીઅહ ઓરત નથી અને મુફતી સાહેબના જાઈઝ બતાવવાથી સુન્‍ની પુરુષે તેની સાથે નિકાહ પઢી લીધા, તો મજકૂર નિકાહ સહીહ અને મોઅતબર ગણાશે અને હવે પછી તેના સુન્‍ની બનવાની ખરેખર શકયતા હોય તો તેને પોતાના નિકાહમાં બાકી રાખીને અને તેની સાથે પતિ–પત્નિ તરીકેનું જીવન ગુજારવું જાઈઝ છે અને તેની સાથે લગ્નજીવન ગુજારવાથી સારા ભાવિની ઉમ્મીદ હોવાની અને પોતાને દીની દ્રષ્ટિએ નુકસાનના ભય ન હોવાની સૂરતમાં તેને તલાક આપી દેવી જરૂરી પણ નથી.

Log in or Register to save this content for later.